Chardham Yatra : ચારધામ યાત્રામાં કુદરતનુ વિધ્ન, ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટામાં 20 હજાર યાત્રિકો અટવાયા

વરસાદના કારણે ચારધામ યાત્રા (Chardham Yatra) પર જઈ રહેલા ભક્તોને અટકાવી દેવામાં આવ્યા છે. ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટા ખાતે 10,000 થી 20,000 શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. કેદારનાથમાં પણ ભક્તોને રોકી રાખવામાં આવ્યા છે.

Chardham Yatra : ચારધામ યાત્રામાં કુદરતનુ વિધ્ન, ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટામાં 20 હજાર યાત્રિકો અટવાયા
Chardham YatraImage Credit source: Social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 7:11 AM

ઉત્તરાખંડમાં (Uttarakhand) પ્રતિકૂળ હવામાનને કારણે, IMDએ વરસાદની ચેતવણી (Uttarakhand Rain Alert) જાહેર કરી છે. ઉત્તરાખંડ રાજ્યના ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઊંચા પર્વતીય વિસ્તારોમાં પણ હળવી હિમવર્ષા પણ થઈ છે. ભારે પવનના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. સાથે જ વરસાદના કારણે ચારધામ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ (pilgrims) અટવાયા છે. ગૌરીકુંડ (Gaurikund), સોનપ્રયાગ (Sonprayag) અને ફાટા ખાતે 10,000 થી 20,000 શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. કેદારનાથમાં પણ ભક્તોને રોકી દેવામાં આવ્યા છે અને ત્યાં તમામ પ્રકારની આપત્તિ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં બગડતા હવામાનને જોતા સરકારે યાત્રિકોને તેઓ જ્યાં હોય ત્યાં જ રોકાઈ રહેવા જણાવ્યું છે.

ચારધામ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોને અટકાવવામાં આવ્યા હતા

જ્યાં છે ત્યાં જ રહેવા યાત્રિકોને કહેવામાં આવ્યું

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવરે હવામાન વિશે જણાવ્યું કે અમે રૂદ્રપ્રયાગમાં સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી લીધી છે. એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા તહેનાત કેદારનાથમાં હાલમાં 10,000 થી 12,000 શ્રદ્ધાળુઓ રોકાયા છે. વરસાદના કારણે ગૌરીકુંડ, સોનપ્રયાગ અને ફાટા ખાતે 10,000 થી 20,000 શ્રદ્ધાળુઓ રોકાયા છે. તેઓ જ્યાં પણ છે, તેમને ત્યાં જ રોકાઈ રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે હવામાનની આગાહી પહેલેથી જ જાહેર કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો ચારધામ પહોંચ્યા છે

મંગળવારે વરસાદની સાથે કેટલીક જગ્યાએ આછો તડકો પણ જોવા મળ્યો હતો, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવાર અને ગુરુવારે રાજ્યના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકીના સ્થળોએ હવામાન સામાન્ય રહેશે. આ સાથે તમને જણાવી દઈએ કે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના જણાવ્યા અનુસાર 3 મે થી 23 મે સુધીના સમયગાળામાં બદ્રીનાથ-કેદારનાથ પહોંચનાર યાત્રીઓની કુલ સંખ્યા 6,12,284 છે અને 23 મેની રાત સુધીમાં ચારધામ પહોંચનાર કુલ યાત્રીઓની સંખ્યા 9,27,831 છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">