સરકારી નોકરીનું (Government job) સપનું જોતા યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોને આગામી દોઠ વર્ષમાં 10 લાખ લોકોની ભરતી કરવાની સૂચના આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ, તમામ વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની (Human Resources) સ્થિતિની સમીક્ષા કરી. જે બાદ તેમણે તમામ વિભાગો અને મંત્રાલયોને સૂચનાઓ આપી છે. વાસ્તવમાં, આ 10 લાખ ભરતી સરકારી વિભાગો અને મંત્રાલયોમાં કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી આ નોકરીઓ શોધી રહેલા યુવાનોને રાહત મળવાની આશા છે.
વડા પ્રધાન મોદીએ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની ભરતી કરવા માટે “મિશન મોડ” માં કામ કરવા જણાવ્યું હતું. વડાપ્રધાન કાર્યાલયે મંગળવારે આ જાણકારી આપી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ કહ્યું કે PM મોદીનો આ નિર્દેશ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કર્યા પછી આવ્યો છે. બેરોજગારીના મુદ્દે વિપક્ષની સતત ટીકા વચ્ચે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મેં તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે અને સરકાર દ્વારા આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મિશન મોડમાં ભરતી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મેં તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કરી છે અને સરકાર દ્વારા આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોની મિશન મોડમાં ભરતી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’
PM @narendramodi reviewed the status of Human Resources in all departments and ministries and instructed that recruitment of 10 lakh people be done by the Government in mission mode in next 1.5 years.
— PMO India (@PMOIndia) June 14, 2022
કોંગ્રેસે પણ સરકારની આ યોજના પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીની આ જાહેરાત પર કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, ‘દેશમાં સૌથી વધુ બેરોજગારી છે અને પીએમ મોદીએ દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું એટલે કે 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ સરકારે આપવાની હતી. પરંતુ હવે મોદીજી કહી રહ્યા છે કે 2024 સુધીમાં માત્ર 10 લાખ નોકરીઓ જ આપવામાં આવશે. તો 16 કરોડ નોકરીઓનું શું થયું?’
Published On - 10:35 am, Tue, 14 June 22