કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કોરોના વાઈરસ સંકટને લઈ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું. કેન્દ્રએ પોતાના સોગંદનામામાં કહ્યું કે દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે દેશમાં મોટી સંખ્યામાં મેક-શિફ્ટ હોસ્પિટલોની સ્થાપના કરવી પડશે.
કેન્દ્ર સરકાર તરફથી દાખલ સોગંદનામામાં કહેવામાં આવ્યું કે હવે દેશમાં ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્યારે નજીકના ભવિષ્યમાં હાજર હોસ્પિટલો સિવાય કોરોનાના દર્દીઓ માટે અસ્થાઈ મેક-શિફ્ટ હોસ્પિટલોનું નિર્માણ કરવું પડશે. જેથી તેમની સંભાળ રાખવામાં આવી શકે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આ સમયમાં દર્દીની સંભાળમાં જોડાયેલા સ્વાસ્થ્ય કર્મીઓની સંભાળ કરવાની જરૂરિયાત છે. સરકાર તરફથી પૂરી નિષ્ઠાની સાથે સંરક્ષણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ મહામારીથી હાલમાં ભારત સહિત દુનિયાના ઘણા દેશો ઝઝુમી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી 2 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે 6,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 1:47 pm, Thu, 4 June 20