BSNL-MTNL છોડવાની તૈયારીમાં 92,700 કર્મચારી, VRS માટે કરી અરજી

|

Dec 04, 2019 | 4:56 AM

જાહેર ક્ષેત્રની ટેલીકોમ કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિડેટ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ની સ્વૈચ્છિક સેવા નિવૃતિ (VRS) યોજના મંગળવારે 3 ડિસેમ્બરે બંધ થઈ ગઈ. અધિકારીઓ મુજબ બંને કંપનીઓના કુલ 92,700 કર્મચારીઓએ VRS માટે અરજી કરી છે. તેમાં BSNLના 78,300 કર્મચારીઓ અને MTNLના 14,378 કર્મચારીઓએ આવેદન કર્યુ છે. BSNLના ચેરમેન પી.કે.પુરવારે જણાવ્યું કે તમામ […]

BSNL-MTNL છોડવાની તૈયારીમાં 92,700 કર્મચારી, VRS માટે કરી અરજી

Follow us on

જાહેર ક્ષેત્રની ટેલીકોમ કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિડેટ (BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ની સ્વૈચ્છિક સેવા નિવૃતિ (VRS) યોજના મંગળવારે 3 ડિસેમ્બરે બંધ થઈ ગઈ. અધિકારીઓ મુજબ બંને કંપનીઓના કુલ 92,700 કર્મચારીઓએ VRS માટે અરજી કરી છે. તેમાં BSNLના 78,300 કર્મચારીઓ અને MTNLના 14,378 કર્મચારીઓએ આવેદન કર્યુ છે.

BSNLના ચેરમેન પી.કે.પુરવારે જણાવ્યું કે તમામ વર્તુળોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ યોજના બંધ થયાના સમયગાળા સુધીમાં લગભગ 78,300 કર્મચારીઓએ VRS માટે અરજી કરી છે. આ અમારા ધ્યેયને અનુરૂપ છે. અમે આશરે 82 હજાર કર્મચારીઓના ઘટાડાની અપેક્ષા કરી રહ્યા છે. VRS માટે અરજી કરવાવાળા સિવાય 6 હજાર કર્મચારી એવા છે જે સેવાનિવૃત થઈ ગયા છે. હાલમાં BSNLના લગભગ 1.50 લાખ કર્મચારી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે MTNLના ચેરમેન સુનીલ કુમારે કહ્યું કે કંપનીના કુલ 14,378 કર્મચારીઓએ VRS માટે અરજી કરી છે. તેમને કહ્યું કે અમારૂ લક્ષ્ય 13,650 કર્મચારીઓનું હતું. તેનાથી અમારૂ વાર્ષિક પગાર બિલ 2,272 કરોડ રૂપિયાથી ઘટીને 500 કરોડ રૂપિયા રહેશે. હવે અમારી પાસે 4,430 કર્મચારી હશે જે સંચાલન માટે પૂરતા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તમને જણાવી દઈ કે કેન્દ્ર સરકારે BSNL અને MTNLના મર્જરની જાહેરાત કરી છે. ગયા મહિને ઓક્ટોબરમાં મોદી સરકારે તેની પર મહોર લગાવી દીધી હતી. તે સમયે કર્મચારીઓ માટે VRS સ્કીમની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી. સરકારે ખોટમાં ચાલી રહેલી જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપનીઓ માટે 68,751 કરોડ રૂપિયાના રીલીફ પેકેજને મંજૂરી આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article