
ઓપરેશન સિંદૂર પર પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કરતી વખતે, પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતો કરી. તેમણે કહ્યું કે જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેઈલિંગ સહન નહીં કરે. ભારત પરમાણુ બ્લેકમેલની આડમાં ઉભરી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક પ્રહાર કરશે. આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના માસ્ટર્સને અલગથી જોઈશું નહીં.
પાકિસ્તાનના નામે પીએમ મોદીએ દુનિયાની મહાસત્તાઓને પણ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્રને માત્ર ટેરરિઝમ પર અને પીઓકે પર જ થશે. ભારત પાકિસ્તાન વચ્ચે 10 મે એ યુદ્ધ વિરામના નિર્ણયના બરાબર 51 કલાક બાદ પીએમ મોદીએ આજે દેશને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદ સામે અમારુ અભિયામ બંધ નથી થયુ, હજુ થયાવત જ છે અને પાકિસ્તાને આતંકવાદ છોડવો જ પડશે. આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનની સાથેસાથે વિશ્વના દેશોને પણ કડક અને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદનો રસ્તો છોડવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હવે પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ વાતચીત થશે. અન્ય કોઈ મુદ્દા પર કોઈ વાતચીત થશે નહીં. પીએમનો આ સંદેશ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે એવી ચર્ચા થઈ હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર અને પાણીના મુદ્દા પર વાતચીત થશે. અમેરિકાએ પણ આ મુદ્દાને ઉકેલવાની વાત કરી હતી. પરંતુ પીએમએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ થશે.
પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હવે આતંકવાદ સામે ભારતની નવી નીતિ છે. આ દરમિયાન તેમણે ત્રણ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે કહી.
Published On - 9:01 pm, Mon, 12 May 25