
ભારતના સંરક્ષણ મંત્રાલયે, ભારતીય વાયુસેનાની હવાઈ ક્ષમતાને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે એક વ્યાપક માસ્ટરપ્લાન ઘડ્યો છે. ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ, વાયુસેના હવે 1,000 કિલોગ્રામ વજનના સ્વદેશી હવાઈ બોમ્બથી સજ્જ થશે. મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) જાહેર કર્યું છે, જે ભારતની સંરક્ષણ તૈયારીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
સુપર બંકર બસ્ટર બોમ્બ વિનાશક ક્ષમતાની દ્રષ્ટિએ, આ સ્વદેશી બોમ્બ, યુએસ-નિર્મિત Mk-84 બોમ્બની સમકક્ષ અથવા તો વધુ ધાતક હોઈ શકે છે. તેસુપર બંકર બસ્ટર બોમ્બની સૌથી નોંધપાત્ર વિશેષતા, તેની ડિઝાઇન છે, જે રશિયન મૂળના ફાઇટર જેટ, જેવા કે સુખોઈ-30 MKI અને રાફેલ તેમજ મિરાજ સહિત ફ્રેન્ચ મૂળના વિમાનો સાથે સીમલેસ સુસંગતતા સુનિશ્ચિત કરે છે.
સંરક્ષણ મંત્રાલયે આસુપર બંકર બસ્ટર બોમ્બ બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને બે પ્રાથમિક તબક્કામાં વિભાજિત કર્યો છે: પહેલા તબક્કામાં સુપર બંકર બસ્ટર બોમ્બની ડિઝાઇન અને વિકાસ નક્કી કરાયો છે. આ તબક્કામાં છ પ્રોટોટાઇપ જીવંત બોંબ અને ડમી બોંબ એમ બંને પ્રકારનો સમાવેશ થાય છે. વધુમાં, બોમ્બના છેવાડે આવેલ એકમ અને અન્ય આનુષંગિક ઘટકોનું પરીક્ષણ ભારતની પોતાની નિયુક્ત પરીક્ષણ શ્રેણીમાં કરવામાં આવશે.
જ્યારે સુપર બંકર બસ્ટર બોમ્બના બીજા તબક્કામાં મોટા પાયે ઉત્પાદન કરવાનો છે. સફળ પરીક્ષણો પછી, કુલ 600 બોમ્બ માટે જરૂરી ખરીદીને સરળ બનાવવા માટે સંભવિત કંપનીઓને દરખાસ્ત માટે વિનંતી રિક્વેસ્ટ ટુ પ્રપોઝલ (RFP) અથવા ટેન્ડર જાહેર કરવામાં આવશે.
આ બોમ્બ દુશ્મનમાં ભય ફેલાવવા માટે પૂરતી શક્તિ ધરાવે છે. તેની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તેઓ મોટા પ્રમાણમાં વિસ્ફોટક ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. બોમ્બના વિસ્ફોટથી ઉત્પન્ન થતા તીવ્ર દબાણના તરંગ બંકરો અને ભારે કિલ્લેબંધીવાળા દુશ્મનના ગઢનો નાશ કરવામાં સક્ષમ હશે. આનો ઉપયોગ દુશ્મનના એરબેઝ, લશ્કરી મુખ્યાલય અને કોંક્રિટમાંથી બનાવેલા અભેદ બંકરોને સંપૂર્ણપણે નાશ કરવા માટે કરવામાં આવશે.
ડિફેન્સ એક્વિઝિશન પ્રોસિજર (DAP) 2020 ની ‘મેક-II’ શ્રેણી હેઠળ, આ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછી 50 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ અને સમાવેશ કરવો ફરજિયાત છે. આ ભારતીય સ્ટાર્ટઅપ્સ અને MSME માટે સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સુવર્ણ તક રજૂ કરે છે.
હાલમાં, ભારત આ પ્રકારની શ્રેણીના ભારે બોમ્બ માટે વિદેશી બજારો પર આધાર રાખે છે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણથી માત્ર વિદેશી હૂંડિયામણની બચત કરવા સાથે તે પણ સુનિશ્ચિત થશે કે, સંઘર્ષની સ્થિતિમાં, ભારતને મદદ માટે અન્ય કોઈ રાષ્ટ્ર તરફ જોવું નહીં પડે. ત્રાહીત દેશની મદદ પણ લેવી નહીં પડે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિઝાઇન તબક્કાથી લઈને અંતિમ કરાર પર હસ્તાક્ષર સુધીની સમગ્ર પ્રક્રિયામાં આશરે 2.5 વર્ષનો સમય લાગવાની ધારણા છે. આ પહેલ માત્ર ભારતીય વાયુસેનાની ક્ષમતાઓને જ નહીં, પણ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ વૈશ્વિક સંરક્ષણ કેન્દ્ર બનવા તરફ ભારતની પ્રગતિને પણ વેગ આપશે.