Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા આજથી શરુ, કોણ કરી શકે છે યાત્રા ? જાણો

અમરનાથ યાત્રા 2026 3 જુલાઈ થી 28 ઓગસ્ટ સુધી 57 દિવસ સુધી ચાલશે. સુરક્ષાના કારણે આ યાત્રા માર્ગ પર હેલીકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે. જેને નો -ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો છે.

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા આજથી શરુ, કોણ કરી શકે છે યાત્રા ? જાણો
| Updated on: Jun 03, 2026 | 9:53 AM

અમરનાથ યાત્રા 2026ને લઈ શિવ ભક્તોમાં ખુબ ઉત્સાહ છે અને બાબા બરફાનીના દર્શન કરવા આતુર છે. અમરનાથ યાત્રા 2026 3 જુલાઈ થી 28 ઓગસ્ટ સુધી 57 દિવસ સુધી રક્ષાબંધન સુધી ચાલશે.જેને લઈ લુધિયાણાથી હજારો શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

અમરનાથ યાત્રા માટે શિવ ભક્તોને 14 કિલોમીટર સુધી પગપાળા જવાનું હોય છે. અમરનાથ યાત્રા માટે 13 વર્ષથી ઓછી ઉંમરના અને 70 વર્ષની ઉંમરના શ્રદ્ધાળુઓને આ યાત્રામાં સામેલ થવાની પરવાનગી નથી.

યાત્રા માર્ગ પર હેલિકોપ્ટર ઉડાન ભરશે નહીં

આ વર્ષે, વહીવટીતંત્રે અમરનાથ યાત્રા અંગેના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. દર વર્ષે યાત્રા માટે યાત્રાળુઓ અમરનાથ યાત્રા માટે નીલગ્રંથથી પંચતરણી અને પહેલગાંવથી પંચતરણી સુધી પગપાળા, ઘોડા પર અને હવાઈ માર્ગે મુસાફરી કરતા હતા. પરંતુ આ વખતે અમરનાથ યાત્રા પ્રશાસન દ્વારા હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સુરક્ષાના કારણથી યાત્રા માર્ગને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે હેલિકોપ્ટર સેવા બંધ રહેશે.

કોણ યાત્રા કરી શકે છે?

13 થી 70 વર્ષની અંદરના કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. છ અઠવાડિયાથી વધુ ગર્ભવતી મહિલાઓને મુસાફરી કરવાની પરવાનગી નથી. આ વખતે આરોગ્ય તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે,

 અમરનાથ યાત્રા માટે ક્યો રસ્તો સારો

પહલગામ રુટ 48 કિમીના આ રસ્તા ખુબ લાંબા છે પરંતુ તેનું ચઢાણ ખુબ સરળ છે. પહેલી વખત યાત્રા કરનાર માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.માત્ર 14 કિલોમીટર લાંબો નાનકડો રસ્તો ખુબ પડકારજનક છે. તેમજ ચઢાઈ વાળો છે. અનુભવી ટ્રેકર્સ હંમેશા આ બાલતાલ રુટનો રસ્તો પસંદ કરે છે.

અમરનાથ યાત્રામાં કેટલા દિવસ લાગે?

જો ગુફા સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓને 48 કિલોમીટર લાંબા પહેલગામનો રુટ પસંદ કરવાનો રહે છે. યાત્રા પૂર્ણ થતાં અંદાજે 4 થી 5 દિવસનો સમય લાગે છે. તેમજ 14 કિલોમીટર લાંબો રુટ તમે પસંદ કરો છો. તો ગુફા સુધી પહોંચવામાં 2 દિવસ લાગે છે. જે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા નહી કરી શકાત તેઓ ખચ્ચરનો ઉપયોગ કરે છે.

 

Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા 2026 માટે ક્યારે શરુ થશે રજિસ્ટ્રેશન? જાણો શું છે નિયમ અહી ક્લિક કરો

Follow Us