Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Jharkhand : ધનબાદમાં મોટી દુર્ઘટના, ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રૂટ પર વીજ કરંટ લાગવાથી 6 કોન્ટ્રાક્ટ મજૂરોના થયા છે મોત

Jharkhand : ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં છથી વધુ કોન્ટ્રાક્ટ મજૂરોના મોત થયા હતા. આ અકસ્માત કતરાસ સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર ઝારખોર ખાતે થયો હતો. પોલ લગાવતા સમયે હાઇ ટેન્શન વાયરની પકડમાં આવી જવાને કારણે આ અકસ્માત થયો હતો.

Breaking News Jharkhand : ધનબાદમાં મોટી દુર્ઘટના, ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રૂટ પર વીજ કરંટ લાગવાથી 6 કોન્ટ્રાક્ટ મજૂરોના થયા છે મોત
Breaking News Jharkhand
Follow Us:
| Updated on: May 29, 2023 | 3:25 PM

Jharkhand : ઝારખંડના ધનબાદ જિલ્લાના ગોમો-ધનબાદ રેલવે સેક્શનના ઝારખોર ફાટક પાસે એક મોટી દુર્ઘટના થઈ. આ અકસ્માતમાં 6 થી વધુ કોન્ટ્રાક્ટ કામદારો વીજ કરંટ લાગ્યા હતા. જેના કારણે દાઝી જવાથી તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ ધનબાદ રેલવે વિભાગના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જણાવવામાં આવ્યું છે કે, તમામ મજૂરો નિશિતપુર રેલ ફાટક પાસે થાંભલાઓ દાટી રહ્યા હતા. તેણે શટડાઉન લીધું ન હતું. આ દરમિયાન પોલ અથડાઈ ગયો અને 25 હજાર વોલ્ટના ઓવરહેડ વાયરને અડી ગયો. જે બાદ વીજ કરંટ લાગવાથી છથી વધુ મજૂરોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો દાઝી ગયા હતા.

આ પણ વાંચો : Breaking News : ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં પાર્ટીમાં અચાનક લાગી આગ, 14 લોકોના કમકમાટી ભર્યા મોત થયા

25 હજાર વોલ્ટના વીજ વાયરની ઝપેટમાં આવી જવાથી આ અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે વિવિધ ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

અકસ્માત બાદ અનેક ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી

25 હજાર વોલ્ટના વીજ વાયરની ઝપેટમાં આવી જવાથી આ અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે વિવિધ ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. ઉનાળાની ઋતુમાં વિવિધ સ્ટેશનો પર અચાનક ટ્રેનો રોકી રાખવાના કારણે મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તમામ મૃતકો લાતેહાર, પલામુ અને ઇલાહાના છે રહેવાસી

પ્રાપ્ત માહિતી અનુસાર તમામ મૃતકો યુપીના અલ્હાબાદ ઉપરાંત ઝારખંડના પલામુ અને લાતેહારના રહેવાસી હતા. મૃતકોમાં ગોવિંદ સિંહ, શ્યામદેવ સિંહ, સુરેશ મિસ્ત્રી, શ્યામ ભુઈયા, સંજય રામ અને અન્ય એકનો સમાવેશ થાય છે.

રેલવે પ્રશાસન પર બેદરકારીનો આરોપ

ડીઆરએમ કમલ કિશોર સિન્હા અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારે અકસ્માત બાદ સામાન્ય લોકો અને અન્ય કોન્ટ્રાક્ટ કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ ઘટના માટે કોન્ટ્રાક્ટર અને રેલવેને જવાબદાર માની રહ્યા છે. લોકોનું કહેવું છે કે રેલવે પ્રશાસનની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો છે. તે જ સમયે, ડીઆરએમએ કહ્યું કે, આ કામ પેવર બ્લોક વિના ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બે મજૂરો ભાગવામાં રહ્યા સફળ

જણાવવામાં આવ્યું છે કે, ડાઉન લાઇનના પોલ નંબર 7 પાસે તમામ કોન્ટ્રાક્ટ મજૂરો રેલ લાઇનની બાજુમાં પોલને દાટી રહ્યા હતા. દરમિયાન પોલ બેકાબૂ થઈ ગયો અને 25 હજાર વોલ્ટની હાઈ ટેન્શન લાઈનમાં ફસાઈ ગયો. જેના કારણે છ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે મજૂરો કોઈ રીતે પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યા હતા.

ઘટનાસ્થળે નજીકની યુવતી નિશા કુમારી તે સમયે ચપનાલમાંથી પાણી ભરી રહી હતી. તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. જો કે તેની હાલત નાજુક નથી. સાક્ષીઓએ જણાવ્યું કે ઘટના બાદ લગભગ એક કલાક સુધી આગ સળગી રહી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ હોબાળો મચી ગયો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">