AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: તમિલ અભિનેતા વિજયની રેલીમાં મચેલી ભાગદોડમાં 29 લોકોના મોત, અનેક લોકો થયા ગુમ

Breaking News: તમિલનાડુના કરુરમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ. જેમા શ્વાસ રૂંધાવાને કારણે 29 થી વધુ લોકોના મોત થયા, અને ઘણા લોકો બેભાન રહ્યા. એમ્બ્યુલન્સનો રસ્તો સાફ કરવા માટે વિજયે પોતાનું ભાષણ બંધ કર્યું.

Breaking News: તમિલ અભિનેતા વિજયની રેલીમાં મચેલી ભાગદોડમાં 29 લોકોના મોત, અનેક લોકો થયા ગુમ
| Updated on: Sep 27, 2025 | 9:12 PM
Share

ચેન્નાઈ: તમિલનાડુના કરુરમાં અભિનેતા અને ટીવીકેના વડા વિજયની રેલીમાં એક મોટો દુર્ઘટના સર્જાઈ છે. કરૂરમાં આયોજિત વિજયની રેલીમાં લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી અને ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી ગચી. જેના કારણે 10 લોકોના શ્વાસ રૂંધાવાને કારણે મોત થયા છે. જ્યારે અનેક લોકોએ પોતાનાથી સંપર્ક ગુમાવ્યો છે, જેમા બાળકો પણ સામેલ છે. અનેક બાળકો પણ ગુમ હોવાની વિગતો સામે આવી છે. રેલીમાં એટલી ભીડ એટલી વિશાળ હતી કે અનેક લોકોના બેભાન થવાની ખબરો સામે આવી રહી છે.

આ દુર્ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે હાજર વિજયે પોતાનું ભાષણ તાત્કાલિક ઢબે રોકી દીધુ હતુ અને મંચ પરથી પાણીની બોટલ ભીડ તરફ ફેંકીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિજયે સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ માટે રસ્તો સાફ કરવા માટે કહ્યુ હતુ. આ અકસ્માતને કારણે રેલીમાં અરાજકતા ફેલાઈ ગઈ.

તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કરુર ઘટના પર ચિંતા વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કર્યું કે તેમણે પૂર્વ મંત્રી વી. સેન્થિલબાલાજી, આરોગ્ય મંત્રી મા. સુબ્રમણ્યમ અને જિલ્લા કલેક્ટરને બેભાન  થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર ઉપબલ્ધ કરાવવા માટેના નિર્દેશ આપ્યા છે.  તેમણે તિરુચિરાપલ્લીના મંત્રી અનબિલ મહેશને રાહત કામગીરીમાં શક્ય તમામ સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ એડીજીપીને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપી કાર્યવાહી કરવા પણ કહ્યું. તેમણે જનતાને ડોકટરો અને પોલીસને સહયોગ આપવા અપીલ કરી.

વિજયની રેલીમાં ઉમટી ભારે ભીડ

તામિલાગા વેત્રી કઝગમ (TVK)ના વડા વિજય ની નમાક્કલ અને કરુરમાં ચૂંટણી રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિજયે આ રેલીઓ દરમિયાન ડીએમકે અને એઆઈએડીએમકે પર આકરા પ્રહારો કર્યા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરશે નહીં કે ખોટા વચનોનો આશરો લેશે નહીં. તેમણે રાજ્ય સરકાર પર રસ્તા, આરોગ્યસંભાળ, સ્વચ્છ પાણી અને સુરક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.
વિજયે કહ્યું કે 2026માં વાસ્તવિક મુકાબલો ડીએમકે અને TVK વચ્ચે હશે, જેમાં ભ્રષ્ટ શાસન સામે લોકોની શક્તિનો સામનો કરવો પડશે. તેમણે જાહેરાત કરી કે તેઓ દર શનિવારે રાજ્યભરના વિધાનસભા મતવિસ્તારોની મુલાકાત લેશે.

Breaking News: રવિવારે રમાનારી એશિયા કપની ભારત પાકિસ્તાન સામેની ફાઈનલમાં હાર્દિક પંડ્યાના રમવા અંગે સસ્પેન્સ

Follow Us
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
g clip-path="url(#clip0_868_265)">