પશ્ચિમ બંગાળ(West Bengal)થી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કૂચ બિહારમાં મુસાફરોને લઈ જતી પીકઅપ વેન(Pick up van)માં વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે. ઘટના પછી તરત જ, મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વાનમાં સવાર 27 લોકોમાંથી 16 લોકોને સારવાર માટે જલપાઈગુડીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર વાનમાં ડીજે સિસ્ટમના જનરેટરના વાયરિંગને કારણે કરંટ ફેલાયો હતો.
અધિક પોલીસ અધિક્ષક અમિત વર્માએ જણાવ્યું હતું કે, “આજે લગભગ 12 વાગ્યે મેખલીગંજ પીએસ હેઠળ ધારલા બ્રિજ પર એક ઘટના બની, જ્યાં જલ્પેશ જઈ રહેલા મુસાફરોને લઈ જતી એક પીકઅપ વાન કરંટથી અથડાઈ ગઈ. પ્રારંભિક તપાસ સૂચવે છે કે તે જનરેટર (ડીજે સિસ્ટમ) ના વાયરિંગને કારણે હોઈ શકે છે, જે વાહનના પાછળના ભાગમાં લગાડવામાં આવ્યુ હતું.”
West Bengal | 10 people died & others got injured when the vehicle in which they were traveling got electrocuted in Cooch Behar.Preliminary inquiry reveals that it might be due to wiring of the generator (DJ system) which was fitted at the rear of the vehicle: Mathabhanga Addl SP pic.twitter.com/m6xhU9DtaG
— ANI (@ANI) July 31, 2022
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સારવાર દરમિયાન ડોક્ટરોએ 10 લોકોને મૃત જાહેર કર્યા. તમામ મુસાફરો સીતલકુચી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને તેમના પરિવારજનોને આ દુ:ખદ ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે વાહનને જપ્ત કરવામાં આવ્યું છે, પરંતુ ચાલક ફરાર થઈ ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. પોલીસ રાહત અને જરૂરી કોઈપણ સહાય માટે સંકલન કરી રહી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.