AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોરિસ જોન્સને રશિયા-ભારત સંબંધોને ‘અલગ અને ઐતિહાસિક’ ગણાવ્યા, કહ્યું- આ અંગે પીએમ મોદી સાથે કરીશ વાત

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને (Boris Johnson) કહ્યું કે, અમે આ વર્ષના અંત સુધીમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા આતુર છીએ. તેમણે કહ્યું કે વિશ્વની અર્થવ્યવસ્થાના મોટા ભાગને ધ્યાનમાં રાખીને આવું કરવું યોગ્ય છે.

બોરિસ જોન્સને રશિયા-ભારત સંબંધોને 'અલગ અને ઐતિહાસિક' ગણાવ્યા, કહ્યું- આ અંગે પીએમ મોદી સાથે કરીશ વાત
Boris Johnson (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 6:04 PM
Share

બ્રિટિશ (Britain) વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) તેમની બે દિવસીય ભારત મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. આ અવસર પર તેમણે કહ્યું કે અમે આ વર્ષના અંત સુધીમાં ભારત સાથે મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા માટે આતુર છીએ. તેમણે કહ્યું કે વિશ્વની અર્થવ્યવસ્થાના મોટા ભાગને ધ્યાનમાં રાખીને આવું કરવું યોગ્ય છે. ભારત અને બ્રિટન બંને વિશ્વભરમાં ચાલી રહેલા તણાવથી ચિંતિત છે. અમે બંને લોકશાહી છીએ અને અમે સાથે રહેવા માંગીએ છીએ.

બ્રિટિશ પીએમએ કહ્યું કે ભારત અને યુકે પાસે પણ તેમની સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારીને ગાઢ બનાવવાની તક છે. બોરિસ જોન્સને કહ્યું કે હું જોઈ રહ્યો છું કે ભારત અને રશિયાના સંબંધો ઐતિહાસિક રીતે ખૂબ જ અલગ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં રશિયા અને યુકે સાથે ભારતના સંબંધો ગાઢ બન્યા છે. આપણે એ વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવી પડશે. તેમણે કહ્યું કે આ અંગે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીશ.

ભારતે પણ બુચામાં થયેલા અત્યાચારની નિંદા કરી છે

તેમણે કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે, તેમ છતાં હું આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચોક્કસપણે ચર્ચા કરીશ. ભારતીયોના દૃષ્ટિકોણ પર નજર કરીએ તો બુચામાં થયેલા અત્યાચારની આખી દુનિયાએ નિંદા કરી છે. ભારતીયોએ પણ આ ઘટનાની સખત નિંદા કરી છે.

એક અરબ પાઉન્ડના નવા રોકાણ અને નિકાસ કરારો પર નજર

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની ભારત મુલાકાત દરમિયાન અનેક વ્યાપારી કરારોની જાહેરાત કરશે અને દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. યુકે હાઈ કમિશને જણાવ્યું હતું કે યુકે અને ભારતીય વ્યવસાયો સોફ્ટવેર એન્જિનિયરિંગથી લઈને આરોગ્ય ક્ષેત્ર સુધીના વ્યવસાયો માટે એક અરબ પાઉન્ડના નવા રોકાણ અને નિકાસ કરારોને પુષ્ટિ કરશે. આનાથી યુકેમાં લગભગ 11,000 નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.

બ્રિટિશ પીએમ આવતીકાલે પીએમ મોદીને મળશે

બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન આજે ગુજરાતમાં અનેક બેઠકોમાં ભાગ લેશે. આજે સાંજે તે દિલ્હી પહોંચવાના સમાચાર છે. બ્રિટિશ પીએમ આવતીકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

આ પણ વાંચો: લાઉડસ્પીકર સાથે અઝાન વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હિન્દુ મહાસભાએ અઝાન પર પ્રતિબંધ લગાવવાની કરી માંગ

આ પણ વાંચો: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ડે: NIAએ આતંકવાદની તોડી કમર, બંધ કર્યું ટેરર ​​ફંડિંગ, ગૃહમંત્રી અમિત શાહે કર્યા વખાણ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">