પાંચ રાજ્યોમાં હાર બાદ મોદી સરકાર હવે લગાવશે ખેડૂતોના દિલ જીતવા માટે માસ્ટર સ્ટ્રોક

હાલમાં પાંચ રાજ્યોના પરિણામ પછી ભાજપની સ્થિતિ નાજુક બની હોય તેમ લાગતાં નવા ડેમેજ કંટ્રોલના કામ શરૂ કરવામાં આવ્યો છે. આ કારણે લુપ્ત થયેલો લોકોનો વિશ્વાસ પરત મેળવવા કેન્દ્રની મોદી સરકાર વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના ચાર લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી શકે છે. આ પણ વાંંચો : શું ગુજરાતમાં કોંગ્રેસનો સારા દેખાવ […]

પાંચ રાજ્યોમાં હાર બાદ મોદી સરકાર હવે લગાવશે ખેડૂતોના દિલ જીતવા માટે માસ્ટર સ્ટ્રોક
Follow Us:
| Updated on: Dec 14, 2018 | 12:38 PM

હાલમાં પાંચ રાજ્યોના પરિણામ પછી ભાજપની સ્થિતિ નાજુક બની હોય તેમ લાગતાં નવા ડેમેજ કંટ્રોલના કામ શરૂ કરવામાં આવ્યો છે. આ કારણે લુપ્ત થયેલો લોકોનો વિશ્વાસ પરત મેળવવા કેન્દ્રની મોદી સરકાર વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોના ચાર લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી શકે છે.

આ પણ વાંંચો : શું ગુજરાતમાં કોંગ્રેસનો સારા દેખાવ અશોક ગહલોતને મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચાડી ગયો ?

કેટલાં ખેડૂતોને મળશે લાભ ? 

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આ અંગે મળી રહેલા અનુમાન અનુસાર કેન્દ્રની મોદી સરકાર દેશભરના 26.3 કરોડ ખેડૂતોનું રૂપિયા 4 લાખ કરોડનું દેવું માફ થઈ શકે છે. જો કે સરકારે તેનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવામાફી માટે નાણાંની ફાળવણીની યોજના પર સરકાર ટૂંક સમયમાં વિચારણા શરૂ કરશે.

કોંગ્રેસે પણ લીધો હતો આ નિર્ણય

અત્રે નોંધનીય છે કે આવું બનશે તો કોઈપણ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર થયેલી રાહત પૈકી આ સૌથી મોટી રાહત બની રહેશે. અગાઉ યુપીએ સરકારે પણ ખેડૂતોના 72 હજાર કરોડના દેવાની માફી કરી હતી. તેને કારણે વર્ષ 2009માં યુપીએ સરકાર લોકસભા ચૂંટણીમાં વધુ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી હતી.

કેટલો થશે આર્થિક બોજ ? 

જોકે મોદી સરકાર દેવા માફી જેવી કોઈ યોજના જાહેર કરશે તો અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે. દેવા માફી જાહેર થતાં દેશની રાજકોષીય ખાધ ઘટી શકે છે. હાલમાં દેશની રાજકોષીય ખાધ કુલ જીડીપીના ૩ ટકાથી વધુ થઈ ચુકી છે. સરકારે આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને કુલ જીડીપીના 3.3 ટકા કે 6.24 લાખ કરોડ સુધી સીમિત રાખવાની યોજના ઘડી હતી.

[yop_poll id=”226″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">