આખરે સપ્તાહ બાદ ભાજપના હાઈકમાન્ડે હાથ પર લીધો સીએમ એજન્ડા, આજે છત્તીસગઢના નક્કી કરાશે મુખ્યપ્રધાન

છત્તીસગઢ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, આજે રવિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ માટે નિરીક્ષકોની નિમણૂક કેન્દ્રીયસ્તરેથી કરવામાં આવી છે, નિરીક્ષકો ધારાસભ્યોની બેઠક લેશે.

આખરે સપ્તાહ બાદ ભાજપના હાઈકમાન્ડે હાથ પર લીધો સીએમ એજન્ડા, આજે છત્તીસગઢના નક્કી કરાશે મુખ્યપ્રધાન
છત્તીસગઢના મુખ્યપ્રધાનની આજે થઈ શકે છે પસંદગી
Follow Us:
| Updated on: Dec 10, 2023 | 12:48 PM

મુખ્યમંત્રીના ચહેરાને લઈને છત્તીસગઢમાં ચાલી રહેલા મંથનનો હવે અંત આવી રહ્યો છે. ભાજપે છત્તીસગઢના નવા મુખ્યપ્રધાન નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક કરી છે. આ દરમિયાન છત્તીસગઢ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, આજે રવિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ માટે નિરીક્ષકોની નિમણૂક કેન્દ્રીયસ્તરેથી કરવામાં આવી છે, નિરીક્ષકો ધારાસભ્યોની બેઠક લેશે. નિરીક્ષકોની હાજરીમાં યોજાનાર બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. છત્તીસગઢ ભાજપના વિધાનસભા પક્ષની મિટિંગ આજે બપોરે છે.

ભાજપે છત્તીસગઢમાં મુખ્યમંત્રીપદનો ચહેરો નક્કી કરવા નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે. અર્જુન મુંડા, સર્બાનંદ સોનોવાલ અને દુષ્યંત કુમાર ગૌતમને છત્તીસગઢના નવા મુખ્યપ્રધાન પસંદ કરવા માટે નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. છત્તીસગઢ રાજ્યના પ્રભારી ઓમ માથુર, છત્તીસગઢ રાજ્યના સહ-પ્રભારી નીતિન નબીન અને નિયુક્ત નિરીક્ષકો સાથે મળીને બેઠક યોજશે.

આજે 10 ડિસેમ્બરને રવિવારે ત્રણેય નિરીક્ષકો સાથે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાશે. આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. છત્તીસગઢમાં મુખ્યમંત્રીનું નામ કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમ દ્વારા ધારાસભ્યોની બેઠકમાં નક્કી કરવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સીએમ ચહેરા માટે આ નામ ચર્ચાઈ રહ્યાં છે

છત્તીસગઢમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને ઘણાબધા નામો ચર્ચામાં છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ડો. રમણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાઈ, રામવિચાર નેતામ, અરુણ સાઓ અને ઓપી ચૌધરીના નામ સંભવિત મુખ્યપ્રધાન તરીકે સામેલ છે. જો કે ભાજપનું મોવડી મંડળ હંમેશા ચર્ચામાં રહેતા નામ સિવાયના અન્ય નામની પસંદગી કરતુ આવ્યું છે.

શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે દિગ્ગજ નેતાઓ

ભાજપે પાંચ પૈકી ત્રણ રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જીત મેળવી છે. આ ત્રણેય રાજ્યોમાં નિરીક્ષકોના નામ ફણ જાહેર કર્યા છે. નિયુક્ત નિરીક્ષકો ધારાસભ્યો સાથે બેઠક યોજીને મુખ્ય પ્રધાનના નામ અંગે ચર્ચા કરશે. ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. આ પછી ત્રણેય રાજ્યોમાં શપથ ગ્રહણ કાર્યક્રમ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત પ્રદેશના મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાન ઉપરાંત ભાજપના સંગઠનના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. ત્રણેય રાજ્યોમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તારીખ અંગે ચર્ચા થઈ રહી છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">