બિહારમાં મહાગઠબંધનની સરકાર(Coalition Government)માં કોંગ્રેસે નવો દાવ લગાવ્યો છે. અહેવાલ છે કે કોંગ્રેસે પાંચ-પાંચ નાયબ મુખ્યમંત્રીની માંગણી કરી છે. કોંગ્રેસ(Congress)ના પૂર્વ પ્રદેશ પ્રમુખે આ માંગ ઉઠાવી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ પાંચ નાયબ બનાવવાની માંગને જાતિ અને ધર્મ સાથે જોડી દીધી છે. તેમણે કહ્યું છે કે જાતિ અને ધર્મ બિહારમાં સમાજની વાસ્તવિકતા છે. આવી સ્થિતિમાં પછાત, અતિ પછાત, અનુસૂચિત જાતિ, મુસ્લિમ અને સવર્ણમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રી બનાવો.
આંધ્રપ્રદેશનું ઉદાહરણ આપતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ કહ્યું કે ત્યાં પાંચ નાયબ મુખ્યમંત્રી કામ કરે છે. આ પહેલા કોંગ્રેસના એક ધારાસભ્યએ એક માત્ર યાદવ કોંગ્રેસના ધારાસભ્ય હોવાનો ઉલ્લેખ કરીને મંત્રી પદની માંગણી કરતો પત્ર લખ્યો છે.
बिहार में 5-5 डिप्टी सीएम की मांग, कांग्रेस नेता अनिल शर्मा ने जताई इच्छा @INCBihar @yadavtejashwi @BJP4Bihar @RJDforIndia pic.twitter.com/3vxyKG1yFy
— अजीत तिवारी (@ajittiwari24) August 12, 2022
કોંગ્રેસના ખાગરિયાના ધારાસભ્ય છત્રપતિ યાદવે પોતાને મંત્રી બનાવવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. પોતાના પત્ર દ્વારા ધારાસભ્યએ જણાવ્યું છે કે યાદવ કોંગ્રેસમાં સૌથી પછાત સમુદાય (ઓબીસી)માંથી એકમાત્ર ધારાસભ્ય છે. લોકોમાં કોંગ્રેસનો સંદેશો આપવા અને અત્યંત પછાત સમાજમાં પોતાની પકડ મજબૂત કરવા આ સમાજમાંથી મંત્રી બનાવવા જરૂરી છે.
રાજ્યમાં નવી સરકાર બની છે. મુખ્યમંત્રી તરીકે 8મી વખત નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. હવે તમામની નજર કેબિનેટના વિસ્તરણ પર છે. દરમિયાન, તેજસ્વી ગુરુવારે રક્ષાબંધનના તહેવાર પર પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદના આશીર્વાદ લેવા અને બહેનોને રાખડી બાંધવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. ખાસ વાત એ છે કે આશીર્વાદ લેવાની સાથે સાથે કેબિનેટમાં સામેલ થનારાઓના નામ પર પણ લાલુ દ્વારા મહોર લાગશે.