Bihar Political News: મહાગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસે શરૂ કર્યો ખેલ, 5-5 ડેપ્યુટી સીએમની માગ કરી નાખી

|

Aug 12, 2022 | 8:53 AM

કોંગ્રેસના (Congress) નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ પાંચ નાયબ બનાવવાની માંગને જાતિ અને ધર્મ સાથે જોડી દીધી છે. તેમણે કહ્યું છે કે જાતિ અને ધર્મ બિહાર(Bihar)માં સમાજની વાસ્તવિકતા છે.

Bihar Political News: મહાગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસે શરૂ કર્યો ખેલ,  5-5 ડેપ્યુટી સીએમની માગ કરી નાખી
Sonia and Rahul gandhi (File)

Follow us on

બિહારમાં મહાગઠબંધનની સરકાર(Coalition Government)માં કોંગ્રેસે નવો દાવ લગાવ્યો છે. અહેવાલ છે કે કોંગ્રેસે પાંચ-પાંચ નાયબ મુખ્યમંત્રીની માંગણી કરી છે. કોંગ્રેસ(Congress)ના પૂર્વ પ્રદેશ પ્રમુખે આ માંગ ઉઠાવી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ પાંચ નાયબ બનાવવાની માંગને જાતિ અને ધર્મ સાથે જોડી દીધી છે. તેમણે કહ્યું છે કે જાતિ અને ધર્મ બિહારમાં સમાજની વાસ્તવિકતા છે. આવી સ્થિતિમાં પછાત, અતિ પછાત, અનુસૂચિત જાતિ, મુસ્લિમ અને સવર્ણમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રી બનાવો.

આંધ્રપ્રદેશનું ઉદાહરણ આપતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અનિલ શર્માએ કહ્યું કે ત્યાં પાંચ નાયબ મુખ્યમંત્રી કામ કરે છે. આ પહેલા કોંગ્રેસના એક ધારાસભ્યએ એક માત્ર યાદવ કોંગ્રેસના ધારાસભ્ય હોવાનો ઉલ્લેખ કરીને મંત્રી પદની માંગણી કરતો પત્ર લખ્યો છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

હું જ યાદવ ધારાસભ્ય છું, મને મંત્રી બનાવો!

કોંગ્રેસના ખાગરિયાના ધારાસભ્ય છત્રપતિ યાદવે પોતાને મંત્રી બનાવવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. પોતાના પત્ર દ્વારા ધારાસભ્યએ જણાવ્યું છે કે યાદવ કોંગ્રેસમાં સૌથી પછાત સમુદાય (ઓબીસી)માંથી એકમાત્ર ધારાસભ્ય છે. લોકોમાં કોંગ્રેસનો સંદેશો આપવા અને અત્યંત પછાત સમાજમાં પોતાની પકડ મજબૂત કરવા આ સમાજમાંથી મંત્રી બનાવવા જરૂરી છે.

કેબિનેટ વિસ્તરણને લઈને હોબાળો વધુ તીવ્ર બન્યો

રાજ્યમાં નવી સરકાર બની છે. મુખ્યમંત્રી તરીકે 8મી વખત નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. હવે તમામની નજર કેબિનેટના વિસ્તરણ પર છે. દરમિયાન, તેજસ્વી ગુરુવારે રક્ષાબંધનના તહેવાર પર પાર્ટી સુપ્રીમો લાલુ પ્રસાદના આશીર્વાદ લેવા અને બહેનોને રાખડી બાંધવા માટે દિલ્હી જવા રવાના થયા હતા. ખાસ વાત એ છે કે આશીર્વાદ લેવાની સાથે સાથે કેબિનેટમાં સામેલ થનારાઓના નામ પર પણ લાલુ દ્વારા મહોર લાગશે.

Next Article