
બિહાર ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. વલણો સૂચવે છે કે NDA સરકાર સત્તામાં આવશે. આનો અર્થ એ છે કે નીતિશ કુમાર ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે. આ દરમિયાન, તેજસ્વી યાદવનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હોય તેવું લાગે છે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે, જેમાં 122 બહુમતી છે.
ગંગાજી બિહારથી જ વહીને પશ્ચિમ બંગાળમાં પહોચે છે. બિહારે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતનો રસ્તો બનાવ્યો છે.પશ્ચિમ બંગાળમાંથી પણ જંગલ રાજને ઉખાડી ફેંકશે. તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.
આરજેડી અને કોંગ્રેસ વચ્ચે ભારે ફુટ પડવાની આગાહી કરતા કહ્યું કે, કોંગ્રેસના નામદાર તળાવમાં નહાવાની ચેષ્ટા પક્ષને ડૂબાડવાની તૈયારીમાં પડ્યા છે.
કોંગ્રેસને આડે હાથે લેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં સૌથી વઘુ વર્ષો રાજ કરનાર કોંગ્રેસ વર્ષોથી સત્તાની બહાર રહ્યું છે. ગુજરાતમાં 30 વર્ષથી સત્તાની બહાર છે. બિહારમાં 35 વર્ષથી સત્તાની બહાર છે. પશ્ચિમ બંગાળમાં તો 50 વર્ષથી કોંગ્રેસ સત્તામાં આવી નથી. કોંગ્રેસ લોકસભાની ત્રણ ચૂંટણીમાં 3 આંકડા સુધી પહોચી શકી નથી. 2024માં ચૂંટણી બાદ, 6 રાજ્યોમાં વિધાનસબાની ચૂંટણી થઈ તે તમામે તમામ 6 રાજ્યોમાં કોંદ્રેસ 100નો આંક પાર નથી કરી શકી.
કોંગ્રેસ આજે MMC મુસ્લિમલીગી, માઓવાદી કોંગ્રેસ બની ગઈ છે, તેથી જ કોંગ્રેસની અંદર હવે એક ભડાસ નીકળી રહી છે. કોંગ્રેસના નામદાર પ્રત્યે નિરાશા, નારાજગી પ્રવર્તી રહી છે. મને આશંકા છે કે, કોંગ્રેસમાં ભંગાણ પડશે અને મોટા ભાગલા સર્જાશે.
દેશમા ત્રીજીવાર એનડીએ સરકારને સત્તા સોપી. આ ઘટના 60 વર્ષ પછી બની છે. જ્યારે એક જ પક્ષને સતત ત્રીજીવાર સત્તા સોપાઈ હોય. લોકસભાની ચૂંટણી બાદ દેશના અન્ય રાજયોમાં પણ પ્રચંડ જીત મળી. હરિયાણામાં જય કિસાન જય વિજ્ઞાનને આગ વધાર્યું, છત્રપતિ શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકરની જમીન પર ત્રીજીવાર વિજયી બનાવ્યા. દેશની રાજધાનીમાં 25 વર્ષ બાદ જીત્યા અને બિહારમાં ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વસ્તી રહે છે ત્યાં મોટી જીત મેળવી છે. એનડીએને એક વિશ્વાસ સાથે જોઈ રહ્યાં છે.
તૃષ્ટિકરણની જગ્યા સંતુષ્ટીકરણે લીધી છે. બિહારના લોકોએ એ નક્કી કર્યું છે કે, બિહારની જમીન પર ફરી કયારેય જંગલરાજ ફરી નહીં આવે. કોંગ્રેસ અને લાલઝંડાવાળાએ બિહારને બરબાદ કર્યું હતું. એ દિવસો હવે ઈતિહાસ બની ગયા છે. હવે આ વિકાસની યાત્રા રોકાવાની નથી. આજના પરિણામ વિકાસ વિરોધીને જવાબ છે. બેશરમીથી કહેતા હતા એક્સપ્રેસ વે હાઈવે, ઉદ્યોગ, ટ્રેન, એરપોર્ટની શુ જજરૂર છે તેમ કહેતા હતા તેવા વંશવાદ વિરુધ્ધ વિકાસવાદની જીત છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએના ભવ્ય વિજય થતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મતદારયાદી સુધારણા કાર્યક્રમમમાં દરેક રાજકીય પક્ષ સાથ આપે. બિહાર એ ધરતી છે જ્યા લોકતંત્રની જનની હોવાનું ગૌરવ અપાવ્યું છે. લોકતંત્ર પર હુમલો કરનારની ઘૂળ ચટાડી છે. બિહારે ફરી દર્શાવ્યું કે જૂઠ્ઠાણા હારે વિશ્વાસ જીતે છે. બિહારે ડંકાની ચોટ પર કહ્યું કે,જામીન પર ચાલતા લોકોને જનતા સાથ નથી આપતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ એ જ બિહાર છે જ્યા માઓવાદી આંતક સામેલ હતો. પરંતુ આ વખતે બિહારમાં કોઈ ડર વિના લોકોએ ઉત્સાહ ઉંમગથી મતદાન કર્યું . બિહારમાં જ્યારે જંગલરાજ હતુ ત્યારે શું શું થતુ હતુ તે તમે જાણો છો. સરેઆમ મતદાન મથકે હત્યા થતી હતી. મતપેટી લૂટી લેવાતી. આજે શાંતિપૂર્ણ મતદાન થાય છે. રિપોલીગના આંકડા પણ પરિવર્તનનો પુરાવો આપે છે. 2005 પહેલા રિપોલીગ થયું હતું. 1995માં દોઢ હજાર મતદાન મથકોએ પુનઃમતદાન થયું, જંગલરાજ ગયું તેમ તેમ સ્થિતિ સુધરી. આજે બિહારમાં રિપોલીગ કરાવવાની સ્થિતિ હતી. આથી ચૂંટણી પંચ અને તેની સાથે જોડાયેલાને અભિનંદન આપવા ઘટે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાને સંબોધતા કહ્યું કે, લોખંડ લોખંડને કાપે એ કહેવત છે. તેને લઈને તુષ્ટીકરણવાળા પક્ષોએ MY માય ફોર્મ્યુલા બનાવી હતી. પરંતુ બિહારે નવી ફોર્મ્યુલા M Y એટલે કે મહિલા અને યુથ ફોર્મ્યુલા આપી છે.
જગલ રાજ, કટ્ટા રાજની વાત કરતો હતો ત્યારે આરજેડી ક્યારેય વિરોધ નહોતા કરતા પણ કોંગ્રેસ વિરોધ કરતુ હતું, પરંતુ હવે એ પાછુ નહીં આવે. બિહારના લોકોએ વિકસીત, સમુદ્ધ બિહાર માટે મતદાન કર્યું હતું. મે આગ્ર્હ રાખ્યો હતો કે વિક્રમી મતદાન કરો, અને બિહારના લોકોએ તમામ વિક્રમો તોડી નાખ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત બાદ, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયે, ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગરદા ઉડા દીયા, મખાનાની ખીર ઘરે ઘરે બનશે. અમે તો જનતા જનાર્દનના સેવક છીએ. મહેનતથી જનતાનુ દિલ ખુશ કરતા રહીએ છીએ. જનતા જનાર્દનનું દિલ ચોરીને બેઠા છીએ એટલા માટે પૂરા બિહારે બતાવ્યુ કે ફરી એક વાર એનડીએ સરકાર.
રાજદને બિહારની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પરજીવી કોંગ્રેસની હાલત ક્ષેત્રીય રાજકીય પક્ષ કરતા પણ ખરાબ થઈ છે. તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યલયે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને મળેલ ભવ્ય ઐતિહાસિક જીત બાદ કાર્યકરોને સંબોધતા કહ્યું કે, મહિલાએ અમને સમર્થન આપ્યું. સમાજના તમામ વર્ગના લોકોએ ભાજપને સમર્થન આપ્યું. મહાગઠબંધનના નેતાઓએ ચૂંટણી દરમિયાન મોદીના વિરોધ કરતા કરતા છઠ્ઠી મૈયાનુ પણ અપમાન કર્યું.
ભાજપના મુખ્ય કાર્યાલયે ભાજપના કાર્યકરોને સંબોધતા જે પી નડ્ડાએ કહ્યું કે, બિહારમાં ભાજપ તરફી સુનામી સર્જાઈ છે. બિહારના મતદારોએ વિકાસના મુદ્દાને મહોર મારી છે. વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપ્યું હોવાનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું. મતદારોએ બિહારમા જગંલ રાજને નો એન્ટ્રી કહ્યું છે.
કેન્દ્રીય ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઈટ ઉપર બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ, તેમજ કઈ બેઠક પર કયા રાજકીય પક્ષના ઉમેદવાર આગળ છે તે જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, આજે સાંજે 6.45 કલાક સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ ઉપર, 112 બેઠકોના જ પરિણામ જાહેર કરાયા છે. જેમાં 55 ભાજપ, 33 જેડીયુ, 3 આરજેડી, 7 એલજેપીઆરવી, 4 એ આઈએમઆઈએમ અને 1 બેઠક કોંગ્રેસને દર્શાવી છે.
બિહાર ચૂંટણી પરિણામો બાદ, ભાજપના નેતાઓ દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી પરિણામોને સુશાસન, વિકાસનો વિજય ગણાવ્યો. તેમણે કહ્યું કે વિકાસનો વિજય થયો છે. જન કલ્યાણની ભાવનાનો વિજય થયો છે. સામાજિક ન્યાયનો વિજય થયો છે. હું બિહારમાં મારા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય અપાવ્યો છે. આ પ્રચંડ જનાદેશ આપણને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે.
પીએમ નરેન્દ્ર મોદીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલ પોસ્ટમાં જણાવ્યું કે આગામી સમયમાં, અમે બિહારના વિકાસ, તેના માળખાગત સુવિધાઓને વધારવા અને રાજ્યની સંસ્કૃતિને નવી ઓળખ આપવા માટે ખંતપૂર્વક કામ કરીશું. અમે ખાતરી કરીશું કે બિહારના યુવાનો અને મહિલાઓને સમૃદ્ધ જીવન માટે પુષ્કળ તકો મળે.
सुशासन की जीत हुई है।
विकास की जीत हुई है।
जन-कल्याण की भावना की जीत हुई है।
सामाजिक न्याय की जीत हुई है।
बिहार के मेरे परिवारजनों का बहुत-बहुत आभार, जिन्होंने 2025 के विधानसभा चुनावों में एनडीए को ऐतिहासिक और अभूतपूर्व जीत का आशीर्वाद दिया है। यह प्रचंड जनादेश हमें…
— Narendra Modi (@narendramodi) November 14, 2025
રાઘોપુરમાં તેજશ્વી યાદવે લીડ મેળવી છે. તેઓ 3,500 થી વધુ મતોથી આગળ છે. ભાજપના સતીશ કુમાર તેમને સખત ટક્કર આપી રહ્યા છે. તેજસ્વી લાંબા સમયથી આ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યાં હતા, પરંતુ હવે તેમણે લીડ મેળવી છે.
NDA એ બિહારમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ગઠબંધન 208 બેઠકો પર આગળ ચાલે છે. અગાઉ, 2010 માં, NDA એ 206 બેઠકો જીતી હતી. દરમિયાન, કોંગ્રેસ પાર્ટીની બેઠકો ઘટી રહી છે, ફક્ત એક બેઠક પર આગળ છે. જ્યારે RJD પણ આ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું, RJD 23 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
જેડીયુ ઉમેદવાર અનંત સિંહ મોકામાથી આશરે 29,000 મતોના માર્જિનથી જીત્યા છે. અનંતસિંહની જીત અંગે ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અનંત સિંહ જન સૂરજ પાર્ટીના સમર્થક દુલાર ચંદ યાદવની હત્યાના આરોપમાં હાલ જેલમાં છે.
જેડીયુ ઉમેદવાર અનંત સિંહ મોકામાથી આશરે 29,000 મતોના માર્જિનથી જીત્યા છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. અનંત સિંહ જન સૂરજ પાર્ટીના સમર્થક દુલાર ચંદ યાદવની હત્યાના આરોપમાં જેલમાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતા, સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે બિહારમાં SIR દ્વારા રમાયેલી રમત હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અથવા અન્યત્ર શક્ય બનશે નહીં કારણ કે આ ચૂંટણી ષડયંત્રનો હવે પર્દાફાશ થઈ ગયો છે. અમે તેમને આ રમત રમવા દઈશું નહીં. CCTV ની જેમ, અમારું PPTV (PDA Prahari) સતર્ક રહેશે અને ભાજપની યોજનાઓને નિષ્ફળ બનાવશે. ભાજપ કોઈ પક્ષ નથી, તે એક છેતરપિંડી છે.
તેજસ્વી યાદવ મતગણતરીના 9માં રાઉન્ડમાં 2288 મતથી પાછળ ચાલી રહ્યા છે.
JDU એ બિહાર ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. પાર્ટી 82 બેઠકો પર આગળ છે. પરિણામોથી ખુશ થઈને, JDU એ સ્પષ્ટ કર્યું છે કે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી રહેશે. પાર્ટીએ લખ્યું, ભૂતકાળમાં કે ભવિષ્યમાં નહીં… નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે. જો કે થોડી જ વારમાં JDU એ આ પોસ્ટ ડીલીટ કરી દીધી.
બિહાર વિધાનસભાના ચૂંટણીના પરિણામો સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. જે પછી PM મોદી સાંજે 6 કલાકે BJP મુખ્યાલય જશે. જ્યાંથી તેઓ સંબોધન કરે તેવી સંભાવના છે.
તેજસ્વી યાદવે બાજી પલટી, 219 મતથી ચાલી રહ્યા છે આગળ.
છાપરા વિધાનસભા બેઠક પર મોટો બદલાવ જોવા મળ્યો છે, જ્યાં ભાજપના ઉમેદવાર છોટી કુમારીએ લીડ મેળવી છે, જેના કારણે આરજેડીના લોકપ્રિય ઉમેદવાર ખેસારી લાલ લગભગ 900 મતોથી પાછળ છે. મોકામા બેઠક પર, જેડીયુના અનુભવી ઉમેદવાર અનંત સિંહ 11,000 થી વધુ મતોની નોંધપાત્ર લીડ સાથે આગળ છે. સિવાન બેઠક પર, ભાજપના ઉમેદવાર મંગલ પાંડે પણ 6,000 થી વધુ મતોથી આગળ છે. જોકે, મથિહાની બેઠક પર, આરજેડીના બોગો સિંહ 11,000 થી વધુ મતોની મજબૂત લીડ જાળવી રાખે છે.
બિહારની ચૂંટણીમાં મહાગઠબંધન અને NDA વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ અહીં, JDU એકલા મહાગઠબંધન કરતાં આગળ છે. નીતિશ કુમારની પાર્ટી 70 થી વધુ બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 57 બેઠકો પર આગળ છે.
તેજ પ્રતાપને ત્રીજા રાઉન્ડ સુધી માત્ર 1500 મત મળ્યા, તે 8801 મતોથી પાછળ છે.
બિહારમાં ફરી જંગી બહુમતિથી સરકાર રચવા NDAની આગેકૂચ છે. બિહારની જનતાએ ફરી વિકાસના વાયદા પર વિશ્વાસ મુક્યો છે. તેજસ્વી યાદવનો નોકરીનો દાવો ન ચાલ્યો. જંગલરાજનો ડર NDAના ફાયદામાં રહ્યો. મહિલા મતદારોએ નિતિશ પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો. PK ફેક્ટરથી NDAને કોઈ નુકસાન નહીં. ઔવેસી ફેક્ટરને કારણે મહાગઠબંધનના વોટ કપાયા.
ગૃહમંત્રી અમિત શાહનું બિહાર વિધાનસભા ચૂંટણી માટેનું સૂત્ર હતું, “આ વખતે, 160 પાર કરો.” તેમનું સૂત્ર સાચું પડતું દેખાય છે. ચૂંટણી પંચ અનુસાર, NDA 160 થી વધુ બેઠકો પર આગળ છે. ભાજપ 68, JDU 65, LJP 16 અને HAM 4 બેઠકો પર આગળ છે.
વારસાલીગંજમાં બીજા રાઉન્ડના મતદાનમાં ભાજપના ઉમેદવાર અરુણા દેવી 2,993 મતોથી આગળ છે. દરમિયાન, અશોક મહતોના પત્ની અનિતા દેવી પાછળ છે.
બિહારમાં JDU ટોચ પર ઉભરી આવ્યું, ચિરાગ પાસવાન 17 બેઠકો પર આગળ છે.
NDA has crossed the majority mark and is leading on 140 seats (JD(U) 62, BJP 59, LJP(RV) 15, HAMS 4) and Mahagathbandhan leading on 46 seats (RJD 34, Congress 10, CPI(ML)L 2) as per the early trends of Election Commission. Others and Independent leading on 6 seats.
Counting of… pic.twitter.com/PgoO5ZItRU
— Tv9 Gujarati (@tv9gujarati) November 14, 2025
પ્રારંભિક ચૂંટણી પરિણામો પર ટિપ્પણી કરતા, આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે જ્યારે સ્પર્ધા નજીક દેખાઈ રહી છે, ત્યારે આરજેડીના નેતૃત્વ હેઠળનું મહાગઠબંધન ઘણા વિસ્તારોમાં આગળ છે. તેમણે કહ્યું, “અમને આશા અને વિશ્વાસ છે કે એક કે બે કલાકમાં સ્પષ્ટ થઈ જશે કે મહાગઠબંધન બિહારમાં સરકાર બનાવી રહ્યું છે.”
VIDEO | Bihar election results 2025: RJD spokesperson Mritunjay Tiwari says, “In the initial trends that have come in, a close contest is visible, but in many places the RJD-led Mahagathbandhan is ahead. We have full hope and confidence that within one or two hours it will become… pic.twitter.com/IoXNeXrurB
— Press Trust of India (@PTI_News) November 14, 2025
ચૂંટણી પંચના મતે, ભાજપ 44 બેઠકો પર, જેડીયુ 43 બેઠકો પર, આરજેડી 24 બેઠકો પર, એલજેપી 12 બેઠકો પર અને કોંગ્રેસ 6 બેઠકો પર આગળ છે. બિહાર ભાજપ પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે બિહારના મુખ્યમંત્રીનો નિર્ણય બંધારણીય પ્રક્રિયાઓ દ્વારા લેવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે મત ચોરીના મુદ્દાએ મહાગઠબંધનને ડૂબાડી દીધું.
શરૂઆતી વલણ બાદ બિહારમાં રાજકીય હલચલ તેજ છે. ભાજપના મોટા નેતાઓ પ્રદેશ કાર્યાલાય પહોંચી રહ્યા છે. પ્રારંભિક વલણ મુજબ બિહારમાં NDA સરકારની શક્યતા છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ, ભાજપ 21 બેઠકો પર, જેડીયુ 16 બેઠકો પર, આરજેડી 8 બેઠકો પર, એલજેપી 4 બેઠકો પર, કોંગ્રેસ 3 બેઠકો પર અને સીપીઆઈ 1 બેઠકો પર આગળ છે.
કયા વિસ્તારમાં કોણ આગળ છે તે જાણો.
આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ ફરીથી રાઘોપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક લાલુ પ્રસાદ પરિવારનો ગઢ છે. તેજસ્વી અહીં સતત ત્રીજી જીતની આશા રાખી રહ્યા છે. તેમના મુખ્ય હરીફ, ભાજપના સતીશ કુમાર, 2010 માં જેડીયુના સભ્ય તરીકે બેઠક જીત્યા બાદ 2015 અને 2020 બંને ચૂંટણીઓ હારી ગયા હતા.
તારાપુર વિધાનસભા બેઠક પરથી શરૂઆતના વલણોમાં ભાજપના સમ્રાટ ચૌધરી આગળ ચાલી રહ્યા છે.
Key Bihar Seats Update: Tajaswi Yadav, Kundan Kumar, Shravankumar Ahead | TV9Gujarati#BJP #JDU #RJD #BreakingNews #BiharElection2025 #BiharElections #BiharPolitics #BiharElection #Bihar #BiharAssemblyPolls #VoteCounting #BiharAssemblyElectionResults #TV9Gujarati pic.twitter.com/hbCWQ77Wq9
— Tv9 Gujarati (@tv9gujarati) November 14, 2025
NDA 111 બેઠક પર આગળ અને મહાગઠબંધન 87 બેઠક પર આગળ છે.
AIMIM એક બેઠક પર આગળ ચાલી રહી છે.
એનડીએ અને મહાગઠબંધન વચ્ચેનું અંતર વધ્યું છે. એનડીએ 70 બેઠકો પર અને મહાગઠબંધન 43 બેઠકો પર આગળ છે. જોકે, ભાજપ અને આરજેડી વચ્ચે બરાબરી છે, તેઓ 35-35 બેઠકો પર આગળ છે.
EVMમાં મતગણતરી શરુ થઇ ગઇ છે. 8 વાગ્યે બેલેટ પેપરની મતગણરી શરુ થયા બાદ હવે EVM પર મતગણતરી શરુ થઇ છે.
પોસ્ટલ બેલેટની શરુઆતની ગણતરીમાં જનસુરાજ પાર્ટી 4 બેઠક પર આગળ નીકળી.
NDA એ મજબૂત શરૂઆત કરી છે. તે 23 બેઠકો પર આગળ છે. મહાગઠબંધન 15 બેઠકો પર આગળ છે. પક્ષની દ્રષ્ટિએ, BJP 12 બેઠકો પર, JDU 8 બેઠકો પર, LJP 1 બેઠકો પર, HAM 1 બેઠકો પર, RJD 10 બેઠકો પર, કોંગ્રેસ 2 બેઠકો પર અને VIP 1 બેઠકો પર આગળ છે.
ટ્રેન્ડ આવવા લાગ્યા છે. NDA 9 બેઠકો પર આગળ છે. દરમિયાન, મહાગઠબંધન 1 બેઠક પર આગળ છે. મત ગણતરી ચાલી રહી છે તેમ, તેજસ્વી યાદવે જાહેર કર્યું છે કે બિહારમાં પરિવર્તન આવી રહ્યું છે.
રાધોપુરથી તેજસ્વી યાદવ આગળ, NDA 2 બેઠક પર આગળ છે.
મત ગણતરી શરૂ થઇ ગઇ છે. આ પ્રક્રિયા સવારે 8:00 વાગ્યે શરૂ થઇ ગઇ છે. પહેલા પોસ્ટલ બેલેટ ખોલવામાં આવી રહ્યા છે. ત્યારબાદ EVM ખોલવામાં આવશે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. બહુમતીનો આંકડો 122 છે.
સવારે, બિહારમાં મતગણતરી શરૂ થાય તે પહેલાં, રાષ્ટ્રીય જનતા દળે સરકાર બનાવવાનો દાવો કરતું પોસ્ટર બહાર પાડ્યું. પોસ્ટરમાં લખેલું છે, ’14 નવેમ્બર, બિહારમાં તેજસ્વી સરકાર.’
બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે. તેલંગાણામાં જુબિલી હિલ્સ, જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા સહિત આઠ બેઠકો પર મતદાન થયું. બધાની નજર ઝારખંડની ઘાટસિલા બેઠક પર પણ છે. જેએમએમના ધારાસભ્ય અને તત્કાલીન શિક્ષણ પ્રધાન રામદાસ સોરેનના મૃત્યુને કારણે ઘાટસિલામાં પેટાચૂંટણી જરૂરી બની હતી.
મત ગણતરી શરૂ થાય તે પહેલાં જ નિવેદનબાજીનો દોર શરૂ થયો છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને જીતના દાવા કરી રહ્યા છે. જેડીયુએ જાહેર કર્યું છે કે હવે ફક્ત થોડા કલાકોની વાત છે, અને સુશાસનની સરકાર પાછી આવી ગઈ છે.
પટનામાં કોંગ્રેસ મુખ્યાલય, સદાકત આશ્રમ, હાલમાં ખાલી છે. હજુ સુધી પાર્ટીનો એક પણ કાર્યકર આવ્યો નથી. ચૂંટણી પરિણામો માટે કોઈ તૈયારી દેખાતી નથી. ચોક્કસ, નેહરુની જન્મજયંતિ માટે કેટલાક ફૂલો લાવવામાં આવ્યા છે.
હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) ના સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા તેમના પક્ષના કાર્યકરોને ભાવનાત્મક સંદેશ આપ્યો છે. તેમની પોસ્ટમાં, માંઝીએ લખ્યું છે કે HAM ને એવી સ્થિતિમાં લાવવા માટે બધા પક્ષના કાર્યકરોએ અથાક, સમજદાર અને આર્થિક રીતે કામ કર્યું છે જ્યાં હવે સમગ્ર બિહારમાં તેની ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે ઓછી બેઠકો જીતવા છતાં, HAM નો આ ચૂંટણીમાં શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટ રહેશે. માંઝીએ તેમના પક્ષના કાર્યકરોને અપીલ કરી કે પરિણામો જાહેર થયા પછી ફટાકડા ન ફોડે કે વિજયની ઉજવણી ન કરે. તેમણે કહ્યું કે જો તેમને કંઈક કરવું જ પડે, તો તેમણે તે પૈસાનો ઉપયોગ ગરીબ વ્યક્તિને મદદ કરવા માટે કરવો જોઈએ, આ સાચું માંઝીવાદ હશે.
ચૂંટણી પંચે તમામ જિલ્લા મુખ્યાલયોમાં ગણતરી કેન્દ્રો સ્થાપ્યા છે, જે ચોવીસ કલાક સીસીટીવી દેખરેખ અને ત્રણ-સ્તરીય સુરક્ષા ઘેરાબંધીથી સજ્જ છે. પંચે અધિકારીઓને સૂચના આપી છે કે ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM) અને VVPAT સ્લિપને હેન્ડલ કરવા માટેની પ્રક્રિયાઓનું કડક પાલન થાય. રાજ્યભરમાં 70 થી વધુ ગણતરી નિરીક્ષકો અને 14,000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે કેટલાક ગણતરી કેન્દ્રોમાં અને તેની આસપાસ ઇન્ટરનેટ સેવાઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મતદાન પૂર્ણ થયા પછી, ઉમેદવારો અને પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં EVM ધરાવતા સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યા હતા.
Published On - 5:27 am, Fri, 14 November 25