BIHAR: કોરોનાની બીજી લહેર દેશ અને દુનિયામા હાહાકાર મચાવી રહી છે તેવામાં ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવી ગંભીર ઘટનાઓને લીધે સંક્રમણ ફેલાવાની પૂરેપુરી શક્યતાઓ છે.
આ અસંવેદનશીલતાના દ્રશ્યો ઉત્તરપ્રદેશના સીમાવર્તી વિસ્તાર બિહારના સારણ જિલ્લાના માંઝી પ્રખંડના જાય પ્રભા સેતુ પર સર્જાયા હતા. બિહાર અને યુપીની સરહદને જોડતી અત્યંત મહત્વપૂર્ણ સડક પુલ જયપ્રભા સેતુ હવે કોવિડ સંક્રમિત દર્દીઓના મૃતદેહોનો “નિકાલ” કરી રહ્યા છે.
તાજેતરના દિવસોમાં એમ્બ્યુલન્સ ચાલકો હોસ્પિટલો માંથી લાવેલા મૃત દેહોને આરામથી ફેંકીને જતાં રહે છે અને તંત્ર આ સ્થિતિને સામાન્ય ગણાવીને આંખ આડા કાન કરીને બેઠું છે. સ્થાનીય લોકોનું જો માનવમાં આવે તો બિહાર હોય કે ઉત્તર પ્રદેશ, બંને તરફના રાજયોની એમ્બ્યુલન્સ માંથી લાશોને પુલ નીચે ફેંકીને રફ્ફુચક્કર થઈ જાય છે. આવા મૃતદેહોનો ન તો અંતિમ સંસ્કાર થાય છે કે ન તેને જમીનમાં દફનાવામાં આવે છે.
માંઝી નિવાસી અરવિંદ સિંહ જણાવે છે કે એમ્બ્યુલન્સ ચાલકો આવી જ રીતે મૃતદેહોને ફેંકીને જતાં રહે છે. આ કામ યુપી અને બિહાર બન્ને રાજ્યો તરફથી આવતા લોકો કરી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ ઘટનાની ગંભીરતા સમજીને તરત જ પગલાં ભરવામાં આવે.