સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની અરજી ફગાવી દીધી છે. અરજીમાં માલ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની માગ કરી હતી. CJI DY ચંદ્રચુડની બેંચ સમક્ષ વિજય માલ્યાના વકીલ EC અગ્રવાલે કહ્યું કે અમે તમારા અગાઉના આદેશ મુજબ કેસ છોડવાની માગ કરતી અરજી દાખલ કરી છે. CJI ચંદ્રચુડે આદેશ આપ્યો કે અરજદારે વારંવાર પ્રયાસ કરવા છતાં વકીલનો સંપર્ક કર્યો નથી. અરજદારે આ કાર્યવાહી કરવા માટે કોઈ પગલાં લીધાં નથી. અમે તેની અરજી ફગાવી દઈએ છીએ.
નોંધનીય છે કે, માલ્યાએ અરજીમાં કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ખોટી રીતે તેની તમામ મિલકતો જપ્ત કરી રહ્યું છે. કિંગફિશર કેસમાં જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે તેની સાથે જોડાયેલી સંપત્તિ પણ જપ્ત કરવી જોઈએ, પરંતુ માલ્યા તરફથી હાજર રહેલા વકીલે આ કેસમાંથી ખસી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટે માલ્યાની અરજી ફગાવી દીધી હતી.
આ પહેલા પણ ભાગેડુ માલ્યાને અનેક મોરચે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. અગાઉ તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ સમયમર્યાદા બાદ પણ તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા.
આ પણ વાંચો : જોશીમઠ સંકટ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ પર લેવાશે નિર્ણય
આ પછી તેમના પર કોર્ટની અવમાનનાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેની સામે તે કોર્ટ પહોંચ્યા હતા પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. માલ્યા પર 9,000 કરોડ રૂપિયાની લોન છે જે ચૂકવવામાં તે નિષ્ફળ ગયો છે. આ પછી દેશની કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેની સામે તપાસ કરી રહી છે અને તેની સાથે જોડાયેલી ઘણી સંપત્તિઓ જપ્ત કરી છે.
ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે, પરંતુ દરેક વખતે તે એક યા બીજી રીતે છટકી જાય છે. પ્રત્યાર્પણની પ્રક્રિયા 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી મામલો કાનૂની ગૂંચમાં ફસાઈ ગયો છે.
Published On - 3:53 pm, Mon, 16 January 23