જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIમાં છે તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે

|

Dec 27, 2019 | 6:45 AM

જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વના છે. SBIએ ATM ટ્રાન્ઝેક્શનના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. બેન્કે ફેસબુક પર પોસ્ટ દ્વારા આ જાણકારી પોતાના ખાતાધારકોને આપી છે. બેન્ક દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 1 જાન્યુઆરી 2020થી SBIના ખાતાધારકો માટે ATMમાંથી […]

જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIમાં છે તો આ સમાચાર તમારે જાણવા જરૂરી છે

Follow us on

જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વના છે. SBIએ ATM ટ્રાન્ઝેક્શનના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. બેન્કે ફેસબુક પર પોસ્ટ દ્વારા આ જાણકારી પોતાના ખાતાધારકોને આપી છે. બેન્ક દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 1 જાન્યુઆરી 2020થી SBIના ખાતાધારકો માટે ATMમાંથી રોકડ રકમ ઉપાડવાના નિયમમાં ફેરફાર થઈ ગયો છે. નવા નિયમ મુજબ હવે OTP વગર તમે ATMની મદદથી પોતાના એકાઉન્ટમાંથી રોકડ રકમ નહીં ઉપાડી શકો.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

SBIએ બદલ્યો ATMમાંથી રોકડ રકમ ઉપાડવાનો નિયમ

SBIએ 1 જાન્યુઆરી 2020થી ATMમાંથી રોકડ રકમ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ SBIના ખાતાધારક છો તો પહેલા આ નિયમ વિશે જાણી લો અને સમજી લો કે નવા વર્ષમાં ATMમાંથી રોકડ રકમ ઉપાડવા માટે તમારે શું કરવું પડશે. SBIએ ATMથી થતાં ફ્રોડને રોકવા માટે ATMમાંથી રોકડ રકમ ઉપાડવાના નિયમમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ SBIના ખાતાધારકોને 1 જાન્યુઆરી 2020થી રાત્રે ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP જરૂરી બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શું છે SBIનો નવો નિયમ

SBI ખાતાધારકોને 1 જાન્યુઆરીથી રાત્રે 8 વાગ્યાથી લઈ સવારે 8 સુધી ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP નાખવો જરૂરી બની જશે. OTP વગર તમે ડેબિટ કાર્ડ દ્વારા ATMમાંથી પૈસા નહીં ઉપાડી શકો. SBIએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે કે નવા વર્ષમાં રાત્રે 8 વાગ્યાથી લઈ સવારે 8 વાગ્યા સુધી ATMમાંથી પૈસા ઉપાડવા માટે ખાતાધારકોના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTPને નાખ્યા પછી જ ATMમાંથી પૈસા નિકળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

SBIના નવા નિયમ મુજબ 10,000 રૂપિયાથી વધારે પૈસા ઉપાડવા પર આ નિયમ લાગૂ થશે. OTP ત્યારે જ આવશે જ્યારે તમે SBIના ATMથી જ પૈસા ઉપાડશો. કોઈ બીજી બેન્ક કે ATMમાંથી પૈસા ઉપાડવા પર OTPની જરૂરિયાત રહેશે નહીં. OTP સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવશે, જેમાં અંક અને અંગ્રેજીના અક્ષર બંને હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ OTP માત્ર 1 ટ્રાન્ઝેક્શન માટે માન્ય રહેશે અને એક નિશ્ચિત સમયમર્યાદા પછી તે નિષ્ક્રિય થઈ જશે. બેન્કે કહ્યું કે ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP સિવાય અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ સુવિધા તે SBIના ડેબિટ કાર્ડધારકો પર લાગૂ થશે, જે સ્ટેટ બેન્કના ATMનો ઉપયોગ કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article