New Delhi : JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સીપીઆઈના નેતા (CPI Leader) કન્હૈયા કુમાર ને પક્ષમાં સામેલ કરવા બદલ ભાજપે કોંગ્રેસની નિંદા કરતા જણાવ્યુ કે, તે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો માટે કોંગ્રેસ “પહેલી પસંદગી” બની ગઈ છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ‘ભારત વિરોધી’ કોંગ્રેસ કનૈયા કુમાર (Kanhaiya Kumar) જેવા લોકોની સ્પષ્ટ પસંદગી કોંગ્રેસ છે, કારણ કે આ પાર્ટી સાથે તેની વિચારધારા મળતી આવે છે.
કોંગ્રેસમાં કન્હૈયા કુમારની એન્ટ્રી થતા ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ભૂતપૂર્વ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા તે અંગે ટિપ્પણી કરતા ભાજપના નેતા ભાટિયાએ કહ્યું કે, “ભારત વિરોધી વિચારધારા ધરાવતા દરેક વ્યક્તિની કોંગ્રેસ પહેલી પસંદગી છે. પછી તે કન્હૈયા કુમાર હોય કે અન્ય કોઈ.” ઉપરાંત જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અને વિચારધારા ભારત વિરોધી રાજનીતિના (Politics) સમાનાર્થી બની ચૂક્યા છે.
“ભારત તેરે ટુકડે હોંગે” આ કોંગ્રેસનું નવુ સ્લોગન !
ભાટિયાએ ટ્વિટ કરીને લખ્યુ કે, કોંગ્રેસ (Congress) તેમના જેવા નેતાઓનું સ્વાગત કરે છે જેઓ ‘ભારત તેરે ટુકડે હોંગે’ના નારા લગાવનારાઓને ટેકો આપવા માટે જાણીતા છે, અને અફઝલ ગુરુ જેવા આતંકવાદીઓને ટેકો આપનારાઓને પણ આ પાર્ટી ટેકો આપે છે.
कांग्रेस में टुकड़े टुकड़े गैंग के सदस्य का गर्मजोशी से स्वागत , विचारधारा तो एक ही है
कन्हैया कुमार उनके साथ खड़े थे जो कहते हैं “भारत तेरे टुकड़े होंगे”
वो खुद कहते हैं
“भारतीय सेना महिलाओं के साथ दुराचार करती है”— Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbh) September 28, 2021
ભાટિયાએ કન્હૈયા કુમારને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી
કાશ્મીરમાં મહિલાઓ પર બળાત્કાર વિશે કુમારના વિવાદાસ્પદ નિવેદનને (Controversial statement)યાદ કરતા ભાટિયાએ કહ્યું કે, “તે ભારતીયોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. દરેક ભારતીયને અખંડિતતા માટે કરેલા સર્વોચ્ચ બલિદાન માટે સેના પર ગર્વ છે. અને દેશની એકતા. જ્યારે કોઈ નેતા આવી અપમાનજનક ટિપ્પણી કરે છે, ત્યારે માત્ર એક જ જગ્યા છે જ્યાં તે શરણ માગે છે-ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ”
ભાજપના નેતા તેજીન્દર પાલ સિંહ કોંગ્રેસ પર આકરા પાણીએ
ભાજપના રાષ્ટ્રીય યુવા પાંખના સચિવ તેજીન્દર પાલ સિંહ બગ્ગાએ પણ સીપીઆઈ નેતા કન્હૈયા કુમારને પાર્ટીમાં સામેલ કરવા બદલ કોંગ્રેસની નિંદા કરી હતી.તેણે કહ્યુ કે, “કન્હૈયા કુમારે (Kanhaiya Kumar) અગાઉ ભારત તોડવાની વાત કરી હતી. ઉપરાંત ભારત તેરે ટુકડે હોંગે અને અફઝલ તેરે અરમાનો કો મંઝિલ તક પહોંચાયેંગે જેવા સંવાદો કન્હૈયા પાસેથી સાંભળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેણે જણાવ્યુ કે,ભારત વિરોધીનું સ્વાગત કરવા માટે સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી માળા સાથે ઉભા રહે છે.”
Looks like the ‘Grand Old Party’ is negotiating for a second hand Air Conditioner!
But, will it work now? 🤡 pic.twitter.com/nBuw8bZ6Jv
— BJYM (@BJYM) September 28, 2021
on Kanhaiya Kumar Joining pic.twitter.com/STE3bKitPN
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) September 28, 2021
આ પણ વાંચો: આ નર્સે કોરોનાની રસી આપવાને બદલે આપી દીધી હડકવાની રસી ! જાણો પછી શું થયુ…..