AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત જોડો યાત્રા દિવસ 2 : કન્યાકુમારીથી રાહુલની પદયાત્રા, જયરામે કહ્યું- પાર્ટી પણ મજબૂત થશે

કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી આ ભારત જોડો યાત્રાને વ્યાપક જનસંપર્ક અભિયાન ગણાવી રહ્યા છે અને પાર્ટીના નેતાઓ માને છે કે આનાથી સંગઠનમાં નવો પ્રાણ પૂરાશે.

ભારત જોડો યાત્રા દિવસ 2 : કન્યાકુમારીથી રાહુલની પદયાત્રા, જયરામે કહ્યું- પાર્ટી પણ મજબૂત થશે
Rahul Gandhi in Bharat Jodo Yatra
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 9:53 AM
Share

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુરુવારે સવારે અનેક વરિષ્ઠ નેતાઓ સાથે ‘ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra)ની વિધિવત શરૂઆત કરી હતી. પાર્ટી આ યાત્રાને વ્યાપક જનસંપર્ક અભિયાન તરીકે વર્ણવી રહી છે અને પાર્ટીના નેતાઓ માને છે કે આનાથી સંગઠનમાં પ્રાણ પૂરાશે. રાહુલ ગાંધીએ 118 અન્ય ‘ભારત યાત્રીઓ’ અને અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે અહીંની ‘વિવેકાનંદ પોલિટેકનિક’થી પદયાત્રાની શરૂઆત કરી હતી.

પાર્ટીએ રાહુલ સહિત 119 નેતાઓને ‘ભારત યાત્રી’ તરીકે નામ આપ્યા છે જેઓ પદયાત્રા પર કન્યાકુમારીથી કાશ્મીર જશે. આ લોકો કુલ 3570 કિલોમીટરનું અંતર કાપશે. કોંગ્રેસે બુધવારે કન્યાકુમારીથી તેની ભારત જોડો યાત્રાની ઔપચારિક શરૂઆત કરી હતી અને આ અવસર પર પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક લેખિત સંદેશ દ્વારા કહ્યું હતું કે આ યાત્રા ભારતીય રાજનીતિ માટે પરિવર્તનકારી ક્ષણ છે અને તે કોંગ્રેસ માટે લાઈફલાઈન તરીકે કામ કરશે.

ત્રિરંગા પર હુમલો થઈ રહ્યો છેઃ રાહુલ ગાંધી

પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે હાલમાં તિરંગા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા શ્રીપેરુમ્બુદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક પર પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. અહીં ત્રણ દાયકા પહેલા રાજીવ ગાંધીની આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.

30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે

તેમના પિતાના સ્મારક પર આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપ્યા પછી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કન્યાકુમારીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તેમને રાષ્ટ્રધ્વજ સોંપ્યો હતો. યાત્રા શરૂ કરતા પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ, તિરુવલ્લુવર સ્ટેચ્યુ અને કામરાજ મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી. પદયાત્રા 11 સપ્ટેમ્બરે કેરળ પહોંચશે અને આગામી 18 દિવસ રાજ્યમાંથી પસાર થઈને 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે અને પછી ઉત્તર તરફ અન્ય રાજ્યોમાં જશે.

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">