AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગ દિવસ પર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ દાખલ, પૈસા લઈ સારવાર ન કરવાનો લાગ્યો આરોપ

યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ બેગુસરાઈમાં કેસ દાખલ થયો છે. જેમાં બંન્ને પર પૈસા લઈ સારવાર ન કરવાનો આરોપ લાગ્યો છે.

યોગ દિવસ પર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ દાખલ, પૈસા લઈ સારવાર ન કરવાનો લાગ્યો આરોપ
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ કેસ દાખલImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 5:55 PM
Share

Baba Ramdev: યોગ દિવસ પર જ બેગુસરાય કોર્ટ (Begusarai Civil Court)માં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાબા રામદેવ પર પૈસા લઈને સારવાર ન કરવાનો આરોપ લાગ્યો છે. બાબા રામદેવ (Baba Ramdev)ની સાથે આચાર્ય બાલકૃષ્ણ પર પણ આ કેસ દાખલ થયો છે. બેન્ને પર બરૌની પોલીસ સ્ટેશનના નીંગાના રહેવાસી મહેન્દ્ર શર્માએ આ ફરિયાદ દાખલ કરી છે. બંન્ને વિરુદ્ધ કલમ 420, 406, 467, 468, 120બી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સીજેએમ રૂમ્પા કુમારીની કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરનાર મહેન્દ્ર શર્માએ આરોપ લગાવ્યો કે, તે પતંજલિ આર્યુર્વેદ પ્રાઈવેટ લિમીટેડ અને મહાર્ષિ કાટેજ યોગગ્રામ ઝૂલામાં સારવાર કરવાની હતી. આ સારવાર માટે સંસ્થાએ 90 હજાર 900 રુપિયા જમા કરાવ્યા હતા, પરંતુ તેની સારવાર કરી ન હતી.

પૈસા લઈ સારવાર ન કરવાનો આરોપ

આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેમને સારવાર કરવા માટે કહ્યું તો તેની પાસે 1 લાખ રુપિયા માંગ્યા હતા. આ કેસને ગંભીરતાથી જોઈ કોર્ટે આ કેસને ટ્રાયલ માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મોહિની કુમારીની કોર્ટમાં મોકલી દીધો છે. બેગુસરાઈમાં કેસ 3 દિવસ પહેલા દાખલ થયો હતો પરંતુ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી તેમજ વિરોધ પ્રદર્શનના કારણે આ કેસ હવે સામે આવ્યો છે.

ધોની વિરુદ્ધ પણ બેગુસરાઈમાં કેસ

આ પહેલા પણ બેગુસરાયમાં જિલ્લા અદાલતના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ રૂમ્પા કુમારીની કોર્ટમાં, ચેક બાઉન્સના કેસમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ CJM કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે 28 જૂનના રોજ સુનાવણી થશે. ધોની સામેની ફરિયાદ ડીએસ એન્ટરપ્રાઈઝના માલિક નીરજ કુમાર નિરાલા દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે.

ધોની ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાત કરે છે

આ કેસ એક ફર્ટિલાઇઝર કંપની સાથે જોડાયેલો છે, જેના માટે મહેન્દ્ર સિંહ ધોની જાહેરાત કરે છે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ફર્ટિલાઇઝર કંપની માટે જાહેરાત કરી હતી. જેના માટે એસકે એન્ટરપ્રાઈઝના માલિક નીરજ કુમારે તેના પર ફરિયાદ દાખલ કરી છે, નીરજ કુમારે લીગલ નોટિસ અને ધોનીએ કરેલી જાહેરાતના પુરાવા જમા કરાવ્યા છે.

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">