નરેન્દ્ર મોદીની પહેલા એકબીજા પ્રધાનમંત્રી પણ પાસ કરાવી ચુક્યા છે આર્થિક પછાત સવર્ણો માટે અનામત બિલ પણ…

|

Jan 09, 2019 | 7:36 AM

લોકસભાની ચૂંટણી અગાઉ મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. સવર્ણ સમાજના મતોને અંકે કરવા માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આવો નિર્ણય કરનાર મોદી સરકાર પહેલી નથી. અગાઉ ભૂતકાળમાં પણ સવર્ણોને અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્ષ 1991ની વાત કરીએ તો, મંડલ કમિશનનો રિપોર્ટ અમલી બન્યા બાદ તત્કાલિન વડાપ્રધાન પી.વી. […]

નરેન્દ્ર મોદીની પહેલા એકબીજા પ્રધાનમંત્રી પણ પાસ કરાવી ચુક્યા છે આર્થિક પછાત સવર્ણો માટે અનામત બિલ પણ...
Upper cast reservation bill passed in Loksabha

Follow us on

લોકસભાની ચૂંટણી અગાઉ મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છેસવર્ણ સમાજના મતોને અંકે કરવા માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આવો નિર્ણય કરનાર મોદી સરકાર પહેલી નથી.

અગાઉ ભૂતકાળમાં પણ સવર્ણોને અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતોવર્ષ 1991ની વાત કરીએ તો, મંડલ કમિશનનો રિપોર્ટ અમલી બન્યા બાદ તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહા રાવે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતોજોકે, વર્ષ 1992માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ગેરબંધારણીય કરાર ગણાવીને નકારી કાઢવામાં આવ્યો હતો .

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Former Prime Minister P. V. Narasimha Rao

અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા ગરીબ સવર્ણ વર્ગના લોકોને અનામત આપવા માટે વર્ષ 2003માં એક પ્રધાન સમૂહની રચના કરવામાં આવી હતીજોકે, તેનો ફાયદો થયો નહોતો અને વર્ષ 2004ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હારી ગઈ હતી

Former PM Atal Bihari Vajpayee

આ પછી વર્ષ 2006માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની મનમોહન સિંહની સરકાર દ્વારા પણ એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ એવા આર્થિક રીતે પછાત વર્ગોનું અધ્યયન કરવાનું હતું કે, જે હાલની અનામત વ્યવસ્થાના દાયરામાં આવતા નથી જો કે તેનો પણ કોઈ જાતનો ફાયદો થયો નહોતોગરીબ સવર્ણો માટે અનામતની માંગને SC/STનું રાજકારણ કરનારા અનેક નેતા પણ યોગ્ય ઠેરવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલે, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન, બીએસપી સુપ્રીમો માયાવતી પણ સામેલ છેઆ નેતાઓએ ગરીબ સવર્ણોને 15થી 25 ટકા અનામત આપવાની વાત કહી હતી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:34 am, Wed, 9 January 19

Next Article