ઉત્તર પ્રદેશમાં Uttar Pradesh) અલવિદા નમાઝ (Namaz) માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત સ્થળોએ નમાઝ અદા કરી શકાય છે. રાજ્ય સરકારના નિયમો અનુસાર, કોઈપણ નવા અથવા જાહેર સ્થળે નમાઝની મંજૂરી આપવામાં આવશે નહીં. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) સૂચના બાદ પોલીસ-પ્રશાસનને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ સંવેદનશીલ જિલ્લાઓમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે કહેવામાં આવ્યું છે.
માહિતી અનુસાર, રમઝાન મહિનામાં શુક્રવારે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત 31,151 સ્થળોએ અલવિદા નમાઝ અદા કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. રાજ્યના ડીજીપી મુકુલ ગોયલે પ્રાર્થના સ્થળો અને અન્ય સંવેદનશીલ સ્થળોની સુરક્ષા માટે 46 કંપની પીએસી અને સાત કંપની સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ (Central Armed Police) ફોર્સ તહેનાત કરી છે. DGP હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, શુક્રવારે 19949 મસ્જિદો, 7436 ઇદગાહ અને 2846 અન્ય સ્થળોએ નમાઝ યોજાશે. તેમાંથી 2846 સ્થળોને સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ સાથે 2705 સ્થળોને પણ સંવેદનશીલ ગણવામાં આવ્યા છે અને આ સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ હેડક્વાર્ટરથી પ્રાપ્ત માહિતી અનુસાર, સંવેદનશીલ જિલ્લાઓની પોલીસ (UP Police) ઉપરાંત 46 કંપની પીએસી અને સાત કંપની સીએપીએફ તહેનાત કરવામાં આવી છે. આ સાથે બે નાયબ પોલીસ અધિક્ષકને પણ મુરાદાબાદ અને પ્રયાગરાજ મોકલવામાં આવ્યા છે. તમામ ઝોનલ એડીજી અને રેન્જના આઈજી-ડીઆઈજીને જિલ્લાના પોલીસ કેપ્ટન સાથે સંકલન કરવા કહેવામાં આવ્યું છે. જેથી કરીને અલવિદા નમાઝમાં શાંતિ સુનિશ્વિત થઈ શકે.
ગુરુવારે પોલીસ પ્રશાસને પરસ્પર સંવાદ અને સંકલન દ્વારા ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર વાતચીતની પ્રક્રિયા ચાલુ રાખી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 21963 લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર લાઉડસ્પીકરો હટાવવાની ઝુંબેશમાં હજુ સુધી કોઈ વિરોધ થયો નથી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ