
કેન્દ્ર સરકાર દ્વારા દેશના કરોડો નાગરિકોને મોટી રાહત આપતા ડિજિટલ હેલ્થ સેવામાં એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ સોમવારે ‘આયુષ્માન સારથી’ (Ayushman Sarathi) નામે PM-JAY નો સત્તાવાર વોટ્સએપ ચેટબોટ લોન્ચ કર્યો છે. આ નવી સુવિધા બાદ હવે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માત્ર એક WhatsApp મેસેજ દ્વારા 24 કલાક, ગમે ત્યારે અને ગમે ત્યાંથી યોજના સંબંધિત સેવાઓનો સીધો લાભ મેળવી શકશે.
સકારના જણાવ્યા અનુસાર, હવે લોકોને આયુષ્માન કાર્ડ બનાવવા, માહિતી મેળવવા કે કોઈ ફરિયાદ નોંધાવવા માટે સરકારી કચેરીઓ અથવા કોલ સેન્ટરોના ધક્કા ખાવા નહીં પડે. આ ચેટબોટ સીધો PM-JAY સિસ્ટમ સાથે જોડાયેલો છે અને રિયલ ટાઇમમાં સચોટ માહિતી પૂરી પાડશે.
આયુષ્માન સારથી ચેટબોટના માધ્યમથી ઘરબેઠા નીચે મુજબની મહત્વની સેવાઓનો લાભ લઈ શકાશે:
આ સરકારી વ્હોટ્સએપ સેવાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ પોતાના મોબાઈલમાં નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે:
આ ચેટબોટ કેન્દ્ર સરકારની એક નવી ડિજિટલ આરોગ્ય સેવા છે, જેને નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ખાસ કરીને લાભાર્થીઓની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે લોકોને હોસ્પિટલો કે હેલ્પ ડેસ્ક પર લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે અને મોબાઈલ સ્ક્રીન પર જ બધી સુવિધાઓ મળી જાય. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આનાથી ઘણો મોટો ફાયદો થશે અને સરકારી તંત્ર પરની નિર્ભરતા ઘટશે.