અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર

|

Dec 12, 2019 | 11:16 AM

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેટલા પક્ષોએ ફરી પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જે તમામ અરજીઓ પર નિર્ણય આવી ગયો છે. આ મામલે તમામ પુનર્વિચાર અરજી નામંજૂર કરી દેવાઈ છે. 5 જજની બેચ દ્વારા 18 અરજી પર એક સાથે સુનાવણી કરાઈ હતી. જેમાં તમામ 18 અરજી નામંજૂર દાખલ કરી દીધી છે. આ મામલે 9 […]

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર

Follow us on

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેટલા પક્ષોએ ફરી પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જે તમામ અરજીઓ પર નિર્ણય આવી ગયો છે. આ મામલે તમામ પુનર્વિચાર અરજી નામંજૂર કરી દેવાઈ છે. 5 જજની બેચ દ્વારા 18 અરજી પર એક સાથે સુનાવણી કરાઈ હતી. જેમાં તમામ 18 અરજી નામંજૂર દાખલ કરી દીધી છે. આ મામલે 9 અરજી પક્ષકારો દ્વારા અને 9 અરજી અન્ય અરજકર્તાઓ દ્વારા કરાઈ હતી.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર સોશિયલ મીડિયામાં ટ્રોલ, નાગરિકતા સંશોધન બિલ પર કરી હતી આ ટિપ્પણી

સાથે અરજીના મેરિટ અંગે પણ વિચાર કરાયો હતો. આ પહેલા નિર્મોહી અખાડાએ પણ પુનર્વિચારની અરજી દાખલ કરવાનો નિર્યણ કર્યો હતો. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં કહ્યું કે, નિર્ણયના એક મહિના પછી પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નિશ્ચિત કરાઈ નથી.

 

સુપ્રીમ કોર્ટમાં સંવિધાન બેચ

ચીફ જસ્ટિસ એસ.એ બોબડેની સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાએ સુનાવણી કરે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ પછી સંજીવ ખન્નાએ તેમની જગ્યા લીધી છે. રામ મંદિર મુદ્દે ઐતિહાસિક નિર્ણય સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફૈઝાબાદ કોર્ટના 1962 આદેશ પ્રમાણે CPCના ઓર્ડર 1 રૂલ 8 મુજબ કોઈપણ નાગરિક પુનર્વિચાર અરજી દાખલ કરી શકે છે. દીવાની કેસમાં CPC મુજબ પક્ષકારો સિવાયના લોકો પણ પુનર્વિચાર અરજી દાખલ કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article