અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેટલા પક્ષોએ ફરી પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જે તમામ અરજીઓ પર નિર્ણય આવી ગયો છે. આ મામલે તમામ પુનર્વિચાર અરજી નામંજૂર કરી દેવાઈ છે. 5 જજની બેચ દ્વારા 18 અરજી પર એક સાથે સુનાવણી કરાઈ હતી. જેમાં તમામ 18 અરજી નામંજૂર દાખલ કરી દીધી છે. આ મામલે 9 અરજી પક્ષકારો દ્વારા અને 9 અરજી અન્ય અરજકર્તાઓ દ્વારા કરાઈ હતી.
સાથે અરજીના મેરિટ અંગે પણ વિચાર કરાયો હતો. આ પહેલા નિર્મોહી અખાડાએ પણ પુનર્વિચારની અરજી દાખલ કરવાનો નિર્યણ કર્યો હતો. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં કહ્યું કે, નિર્ણયના એક મહિના પછી પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા નિશ્ચિત કરાઈ નથી.
ચીફ જસ્ટિસ એસ.એ બોબડેની સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાએ સુનાવણી કરે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ પછી સંજીવ ખન્નાએ તેમની જગ્યા લીધી છે. રામ મંદિર મુદ્દે ઐતિહાસિક નિર્ણય સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ફૈઝાબાદ કોર્ટના 1962 આદેશ પ્રમાણે CPCના ઓર્ડર 1 રૂલ 8 મુજબ કોઈપણ નાગરિક પુનર્વિચાર અરજી દાખલ કરી શકે છે. દીવાની કેસમાં CPC મુજબ પક્ષકારો સિવાયના લોકો પણ પુનર્વિચાર અરજી દાખલ કરી શકે છે.