અયોધ્યામાં કોરોના: રામ જન્મભૂમિના પૂજારી સહિત 16 પોલીસકર્મી કોરોના પોઝિટીવ

|

Sep 21, 2020 | 1:53 PM

અયોધ્યામાં સાધુ-સંતોની વચ્ચે કોરોના ફેલાઈ રહ્યો છે. રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. પૂજારી પ્રદીપદાસ રામમંદિરના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. આચાર્ય સત્યેન્દ્ર દાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે આચાર્ય […]

અયોધ્યામાં કોરોના: રામ જન્મભૂમિના પૂજારી સહિત 16 પોલીસકર્મી કોરોના પોઝિટીવ

Follow us on

અયોધ્યામાં સાધુ-સંતોની વચ્ચે કોરોના ફેલાઈ રહ્યો છે. રામ જન્મભૂમિના પૂજારી પ્રદીપદાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. રામ જન્મભૂમિની સુરક્ષામાં તૈનાત 16 પોલીસકર્મી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. પૂજારી પ્રદીપદાસ રામમંદિરના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. આચાર્ય સત્યેન્દ્ર દાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમને જણાવી દઈએ કે આચાર્ય સત્યેન્દ્ર દાસની સાથે પૂજારી પ્રદીપ દાસ સહિત કુલ 4 પૂજારી રામલલાની સેવા કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે સંક્રમિત થયેલા તમામ પોલીસકર્મીઓને ક્વોરન્ટાઈન અને પૂજારી પ્રદીપ દાસને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. એન્ટીઝન ટેસ્ટમાં પોઝિટીવ આવેલા તમામ લોકોનો RT PCR ટેસ્ટ કરવામાં આવશે. જેથી રિકન્ફર્મ થઈ શકે કે તે લોકો કોરોના સંક્રમિત છે કે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવશે. તેની વચ્ચે અયોધ્યામાં કોરોનાનું સંકટ સામે આવ્યું છે. ભૂમિપૂજનમાં લગભગ 200 લોકો સામેલ થશે. વડાપ્રધાન મોદી પણ આ દરમિયાન અયોધ્યામાં લગભગ 2 કલાકનો સમય પસાર કરશે. જેમાં એક કલાક તે હનુમાનગઢી, રામલલાના દર્શન પૂજન અને ભૂમિપૂજન કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે ટ્રસ્ટે રોજ સમગ્ર રામ જન્મભૂમિ પરિસરને સેનિટાઈઝ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું ચિંતા કરવાની કોઈ વાત નથી. સમગ્ર પરિસરને નિયમિત રીતે સેનિટાઈઝ કરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:14 am, Thu, 30 July 20

Next Article