અયોધ્યા કેસ: શહેરમાં કલમ 144 લાગૂ, હાઈ એલર્ટ પર અયોધ્યા

|

Oct 14, 2019 | 2:30 AM

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ મામલે આજથી અંતિમ ચરણમાં સુનાવણી શરૂ થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને અયોધ્યાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તંત્રએ મોટો નિર્ણય લેતા અયોધ્યામાં કલમ 144 લાગૂ કરી દીધી છે. સંભવિત નિર્ણયને ધ્યાનમાં રાખીને 10 ડિસેમ્બર સુધી જિલ્લામાં કલમ 144 લાગૂ રહશે. એટલે કે દિવાળી પછી પણ કલમ 144 લાગૂ રહેશે. […]

અયોધ્યા કેસ: શહેરમાં કલમ 144 લાગૂ, હાઈ એલર્ટ પર અયોધ્યા

Follow us on

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ મામલે આજથી અંતિમ ચરણમાં સુનાવણી શરૂ થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને અયોધ્યાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તંત્રએ મોટો નિર્ણય લેતા અયોધ્યામાં કલમ 144 લાગૂ કરી દીધી છે. સંભવિત નિર્ણયને ધ્યાનમાં રાખીને 10 ડિસેમ્બર સુધી જિલ્લામાં કલમ 144 લાગૂ રહશે. એટલે કે દિવાળી પછી પણ કલમ 144 લાગૂ રહેશે. મોટી સંખ્યામાં જિલ્લામાં સુરક્ષાદળોને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રસ્તાવિત રામ મંદિર

18 ઓક્ટોબરથી જિલ્લામાં સુરક્ષાદળોની પ્રથમ ટીમ પહોંચવાની શરૂ થઈ જશે. તેમાં PAC, CRPF અને રેપિડ એક્શન ફોર્સની કંપનીઓના જવાન સામેલ થશે. તે સિવાય અયોધ્યામાં રહી ચૂકેલા મોટા અધિકારીઓને પણ દિવાળીનો તહેવાર અને સુપ્રીમ કોર્ટ તરફથી આવનારા નિર્ણયને ધ્યાનમાં રાખીને બોલાવી લેવામાં આવી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અયોધ્યા નિર્ણયને લઈ જિલ્લા તંત્ર એલર્ટ પર છે. અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં ફોર્સ માગવામાં આવી છે. ફોર્સ માટે જિલ્લાના 200 સ્કુલોને આરક્ષિત કરવામાં આવ્યા છે. સાથે જ સ્કુલોની લિસ્ટ જિલ્લા તંત્રને મોકલી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે CJI રંજન ગોગોઈએ સુનાવણી માટે 17 ઓક્ટોબરની ડેડલાઈન નક્કી કરી હતી અને સુનાવણી પછી એક મહિનાની અંદર નિર્ણય આવવાની સંભાવના પણ બતાવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આજે સુપ્રીમ કોર્ટમાં રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના તમામ પક્ષકારની છેલ્લી દલીલ સાંભળવાની શરૂ કરવામાં આવશે. મુસ્લિમ પક્ષ છેલ્લી વખત તેમની દલીલ કરશે, ત્યારે આગામી 3 દિવસ હિન્દુ પક્ષ પોતાની વાત રાખશે. ત્યારે 17 ઓક્ટોબર પછી સુપ્રીમ કોર્ટ નિર્ણયની તારીખની જાહેરાત કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article