અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ ન બનાવવામાં આવે, CWC નેતાઓએ વિવાદ બાદ સોનિયા ગાંધી પાસે કરી માગ

|

Sep 26, 2022 | 3:43 PM

પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે તેમના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. પાર્ટીની ટોચની નેતાગીરીએ તેમની ઉમેદવારી પર પુનર્વિચાર કરવો જોઈએ. સભ્યોએ સોનિયા ગાંધીને (Sonia Gandhi) અન્ય એવી વ્યક્તિને મેદાનમાં ઉતારવા વિનંતી કરી છે જે વરિષ્ઠ નેતા હોય અને ગાંધી પરિવારને પણ વફાદાર હોય.

અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ ન બનાવવામાં આવે, CWC નેતાઓએ વિવાદ બાદ સોનિયા ગાંધી પાસે કરી માગ
Sonia Gandhi
Image Credit source: Twitter

Follow us on

કોંગ્રેસમાં (Congress) ખળભળાટ મચી ગયો છે. દિલ્હીથી જયપુર સુધીની રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ કમિટીએ સોનિયા ગાંધીને (Sonia Gandhi) અનુશાસન ભંગના મામલામાં પાર્ટી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને (Ashok Gehlot) પાર્ટી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર ફેંકી દેવાની માગ કરી છે. સોનિયા ગાંધીને પક્ષ પ્રમુખ માટે અન્ય ઉમેદવાર પસંદ કરવાની ભલામણ કરવામાં આવી છે. રાજસ્થાનમાં રાજકીય ખળભળાટ અને ગેહલોત કેમ્પના ધારાસભ્યોના વર્તનથી નારાજ CWC સભ્યોએ પાર્ટીના વડાને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે તેમના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. પાર્ટીની ટોચની નેતાગીરીએ તેમની ઉમેદવારી પર પુનર્વિચાર કરવો જોઈએ. સભ્યોએ સોનિયા ગાંધીને અન્ય એવી વ્યક્તિને મેદાનમાં ઉતારવા વિનંતી કરી છે જે વરિષ્ઠ નેતા હોય અને ગાંધી પરિવારને પણ વફાદાર હોય.

સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપશે

પાર્ટીના નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન, જેઓ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક માટે જયપુર આવ્યા હતા, તેઓ સોમવારે દિલ્હી પરત ફરશે અને રાજ્યમાં વર્તમાન રાજકીય ઘટનાક્રમ અંગેનો તેમનો અહેવાલ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સુપરત કરશે. માકને અહીં પત્રકારોને કહ્યું કે, હવે ખડગેજી અને હું દિલ્હી પાછા જઈ રહ્યા છીએ અને અમે અમારો સંપૂર્ણ અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષને સોંપીશું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોંગ્રેસના ઘણા ધારાસભ્યોના ધારાસભ્ય દળની બેઠકમાં ન આવવાને તેમણે અનુશાસનહીન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે ધારાસભ્ય દળની સત્તાવાર બેઠક બોલાવવામાં આવી હોય અને જો કોઈ તેની સમાંતર બિનસત્તાવાર બેઠક બોલાવે છે, તો તે પ્રથમ દૃષ્ટિએ અનુશાસનહીન છે. માકને કહ્યું કે, અમે જોઈશું કે તેના પર શું કાર્યવાહી થાય છે.

ગેહલોત જૂથના ધારાસભ્યોએ બેઠક યોજી હતી

નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક રવિવારે રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાવાની હતી, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદાર ગણાતા ધારાસભ્યોએ સંસદીય બાબતોના મંત્રી શાંતિ ધારીવાલે બંગલામાં બેઠક કરી હતી અને ત્યારબાદ તેઓ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સીપી જોશીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

તે જ સમયે, ખડગે, માકન, ગેહલોત, કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ અને કેટલાક અન્ય ધારાસભ્યો મોડી રાત સુધી મુખ્યપ્રધાનના આવાસમાં રાહ જોતા હતા અને બાકીના ધારાસભ્યો ન મળવાને કારણે આખરે ધારાસભ્ય પક્ષની બેઠક થઈ શકી ન હતી.

Published On - 3:42 pm, Mon, 26 September 22

Next Article