AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ASEAN-India Summit: PM મોદીએ ASEAN-ભારત સમિટમાં હાજરી આપી, દક્ષિણ ચીન સાગર-આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલ (IPOI) અને આસિયાનનું વિઝન ફોર ધ ઈન્ડો-પેસિફિક (AOIP) આ ક્ષેત્રમાં પરસ્પર સહયોગનું તેમની સહિયારી દ્રષ્ટિ અને માળખું છે.

ASEAN-India Summit: PM મોદીએ ASEAN-ભારત સમિટમાં હાજરી આપી, દક્ષિણ ચીન સાગર-આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 5:50 PM
Share

ASEAN-India Summit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ ગુરુવારે 18મી આસિયાન-ભારત સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલ (IPOI) અને આસિયાનનું વિઝન ફોર ધ ઈન્ડો-પેસિફિક (AOIP) આ ક્ષેત્રમાં પરસ્પર સહયોગનું તેમની સહિયારી દ્રષ્ટિ અને માળખું છે. તેમણે કહ્યું કે આસિયાનની એકતા અને કેન્દ્રિયતા હંમેશા ભારત માટે મહત્વની પ્રાથમિકતા રહી છે. ASEAN ની આ વિશેષ ભૂમિકા ભારતની એક્ટ ઈસ્ટ નીતિનો એક ભાગ છે જે ‘SAGAR’ (પ્રદેશમાં તમામની સુરક્ષા અને વિકાસ) નીતિમાં સમાવિષ્ટ છે. 

બાદમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે 18મી ભારત-આસિયાન સમિટમાં દક્ષિણ ચીન સમુદ્ર, આતંકવાદ સહિત સામાન્ય હિત અને ચિંતાના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પણ સામેલ કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ સમય દરમિયાન નેતાઓએ દક્ષિણ ચીન સાગરમાં શાંતિ, સ્થિરતા, સલામતી અને સુરક્ષા જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા અને નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના મહત્વની પુનઃ પુષ્ટિ કરી હતી. આ ડિજિટલ કોન્ફરન્સમાં ASEAN દેશોના રાજ્ય/સરકારના વડાઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ દર વર્ષે યોજવામાં આવે છે, જે આસિયાન અને ભારતને ટોચના સ્તરે વાતચીત કરવાની તક પૂરી પાડે છે. 

વેપાર અને રોકાણ પર, વડા પ્રધાન મોદીએ કોવિડ રોગચાળા પછી આર્થિક પુનઃપ્રાપ્તિ માટે નક્કર અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇનના મહત્વને રેખાંકિત કર્યું અને આ સંદર્ભમાં ભારત-આસિયાન મુક્ત વેપાર કરારનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે ભારતની ઈન્ડો-પેસિફિક મેરીટાઇમ પહેલ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે આસિયાનનું વિઝન આ ક્ષેત્રમાં “આપણા સહિયારા વિઝન અને પરસ્પર સહકાર”નું માળખું બનાવે છે. તેમણે કહ્યું કે 2022 માં ભારત અને આસિયાન ભાગીદારીને 30 વર્ષ પૂર્ણ થશે અને આ મહત્વપૂર્ણ સિદ્ધિને ‘આસિયાન-ભારત મિત્રતા વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે. 

‘વિશ્વાસુ સાથી તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી’

મંત્રાલયના નિવેદન અનુસાર, આસિયાન દેશોના નેતાઓએ આ ક્ષેત્રમાં વિશ્વાસુ સાથી તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન રસીના સપ્લાયના સંદર્ભમાં. નિવેદન અનુસાર, આસિયાન દેશોના નેતાઓએ ભારતીય પેસિફિકમાં આસિયાનની આગવી ઓળખ માટે ભારતના સમર્થનનું સ્વાગત કર્યું અને આ ક્ષેત્રમાં ભારત-આસિયાન સહયોગને પ્રોત્સાહન આપવાની આશા વ્યક્ત કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત-આસિયાન જોડાણને મજબૂત કરવા માટે, વડા પ્રધાને ASEAN સાંસ્કૃતિક વારસાની સૂચિની સ્થાપનામાં ભારતના સહયોગની જાહેરાત કરી હતી. 

આસિયાન-ભારત સમિટ દર વર્ષે યોજાય છે

ASEAN-ભારત સમિટ દર વર્ષે યોજાય છે અને તે ભારત અને ASEAN ને ઉચ્ચ સ્તરે જોડાણ કરવાની તક પૂરી પાડે છે. વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં 17મી આસિયાન સમિટમાં ભાગ લીધો હતો. આ વખતે તેમણે 9મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લીધો હતો. 2005 માં તેની શરૂઆત થઈ ત્યારથી, તેણે પૂર્વ એશિયાના વ્યૂહાત્મક અને ભૌગોલિક રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આસિયાનના 10 સભ્ય દેશો ઉપરાંત પૂર્વ એશિયા સમિટમાં ભારત, ચીન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા સામેલ છે. 

આસિયાન-ભારત સંબંધો 2022માં 30 વર્ષ પૂર્ણ કરશે

ભારત, પૂર્વ એશિયા સમિટના સ્થાપક સભ્ય હોવાને કારણે, પૂર્વ એશિયા સમિટને મજબૂત કરવા અને તેને સમકાલીન પડકારોનો સામનો કરવા વધુ અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઈન્ડો-પેસિફિક (AoIP) અને ઈન્ડો-પેસિફિક મહાસાગર પહેલ (IPOI) પર ASEAN આઉટલુકના એકીકરણ સાથે સંબંધિત ઈન્ડો-પેસિફિકમાં વ્યવહારિક સહકારને આગળ વધારવા માટે તે એક મહત્વપૂર્ણ મંચ છે. વર્ષ 2022 એ આસિયાન-ભારત સંબંધોના 30 વર્ષ પૂર્ણ થવાનું છે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">