ખાસ હેતુસર પાકિસ્તાનથી ભારત આવી છે અંજુ, IB અને પોલીસની તપાસમાં થયો ખુલાસો

પંજાબ પોલીસે હાથ ધરેલ પુછપરછમાં અંજુએ જણાવ્યું કે તે 21 જુલાઈના રોજ પાકિસ્તાન ગઈ હતી. દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાની નાગરિક નસરુલ્લા સાથે લગ્ન કરતા પહેલા તેણે ખ્રિસ્તી ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કર્યા પછી તેણે નસરુલ્લા સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ નિકાહ કર્યા.

ખાસ હેતુસર પાકિસ્તાનથી ભારત આવી છે અંજુ, IB અને પોલીસની તપાસમાં થયો ખુલાસો
પાકિસ્તાનથી પાછી ભારત ફરી અંજુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2023 | 1:33 PM

ભારતથી પાકિસ્તાનમાં પોતાના પ્રેમીને મળવા ગયેલી અંજુ ભારત પરત ફરી છે. પરંતુ અંજુ કેમ પાછી આવી છે, શું તે કાયમ માટે ભારત આવી છે કે પછી પાકિસ્તાન પાછી ફરશે ? ભારત આવવાનો તેનો હેતુ શું છે ? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ દરમિયાન પંજાબમાં ઈન્ટેલિજન્સ બ્યુરો અને પંજાબ રાજ્યની પોલીસ ઈન્ટેલિજન્સે, ભારત પાછી ફરેલ અંજુની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન અંજુએ ઘણા ખુલાસા કર્યા છે.

પંજાબ પોલીસે હાથ ધરેલ પુછપરછમાં અંજુએ જણાવ્યું કે તે 21 જુલાઈના રોજ પાકિસ્તાન ગઈ હતી. દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાની નાગરિક નસરુલ્લા સાથે લગ્ન કરતા પહેલા તેણે ખ્રિસ્તી ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કર્યા પછી તેણે નસરુલ્લા સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ નિકાહ કર્યા. જો કે પૂછપરછ દરમિયાન અંજુએ જણાવ્યું કે હાલમાં તેની પાસે લગ્ન સંબંધિત કોઈ દસ્તાવેજ નથી.

ઈન્ટેલિજન્સ બ્યુરો અને પંજાબ પોલીસ દ્વારા હાથ ધરાયેલ પૂછપરછ દરમિયાન અંજુએ કહ્યું કે તે તેના પતિ અરવિંદને છૂટાછેડા આપીને પાકિસ્તાન પરત જશે. અંજુ, તેના બંને બાળકોને પોતાની સાથે પાકિસ્તાન લઈ જવાનો પણ પ્રયાસ કરશે. આ સાથે અંજુએ એમ પણ જણાવ્યું કે તેણે ઈસ્લામ ધર્મ કબૂલ કર્યા બાદ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

‘પાકિસ્તાની સેના સાથે કોઈ સંબંધ નથી’

ઈન્ટેલિજન્સ બ્યુરો અને પંજાબ પોલીસે અંજુની પાકિસ્તાનના સંરક્ષણ કર્મચારીઓ સાથેના સંબંધો વિશે પૂછપરછ કરી હતી. જેમાં તેણે કહ્યું કે તેનો પાકિસ્તાનની સૈન્ય સાથે કોઈ સંબંધ નથી અને ના તો તે પાકિસ્તાનની સેનામાં કોઈને ઓળખે છે. નોંધનીય છે કે અંજુને લઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ પોલીસના મનમાં પણ અનેક પ્રકારના સવાલો સળવળી ઉઠ્યાં છે.

અંજુ તેના પતિને છૂટાછેડા આપીને પાકિસ્તાન જશે

પોલીસે અંજુને પાકિસ્તાન પાછા જવા વિશે પણ પૂછ્યું છે. જેના જવાબમાં અંજુએ કહ્યું કે તે તેના પતિ અરવિંદ સાથે છૂટાછેડા લેવા ભારત આવી છે. તેણીએ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેણી તેના બંને બાળકોને સાથે પાકિસ્તાન લઈ જવાનો પ્રયાસ કરશે. જેઓ હાલના દિવસોમાં તેમના પિતા સાથે રહે છે.

અંજુ અને નસરુલ્લાની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજુ અને તેનો પતિ બંને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આ દરમિયાન અંજુની મુલાકાત પાકિસ્તાનમાં રહેતા નસરુલ્લાહ નામના વ્યક્તિ સાથે ફેસબુક દ્વારા થઈ હતી અને પછી બંને પ્રેમમાં પડ્યા હતા. જયપુર ફરવા જવાના બહાને અંજુ પાકિસ્તાન ગઈ હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">