અનોખો રાષ્ટ્રધ્વજ બનાવવાના સપનાને પુરૂ કરવા માટે વેચી દીધુ ઘર, હવે છે આ ઈચ્છા
રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકની અંદર સન્માનનો ભાવ હોય છે પણ આંધ્રપ્રદેશના એક વ્યક્તિએ મનમાં રાષ્ટ્રધ્વજ માટે તેની ભાવના એવી હતી કે તેને પોતાનું ઘર વેચી દીધુ. આ વ્યક્તિનું નામ આર. સત્યનારાયણ છે, જે વણાટકામ કરે છે. સત્યનારાયણ કંઈક અલગ રીતે રાષ્ટ્રધ્વજને તૈયાર કરવા માટે ઈચ્છતા હતા. તે સિલાઈ વગર એક કાપડ પર જ રાષ્ટ્રધ્વજ તૈયાર […]

રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકની અંદર સન્માનનો ભાવ હોય છે પણ આંધ્રપ્રદેશના એક વ્યક્તિએ મનમાં રાષ્ટ્રધ્વજ માટે તેની ભાવના એવી હતી કે તેને પોતાનું ઘર વેચી દીધુ. આ વ્યક્તિનું નામ આર. સત્યનારાયણ છે, જે વણાટકામ કરે છે.

સત્યનારાયણ કંઈક અલગ રીતે રાષ્ટ્રધ્વજને તૈયાર કરવા માટે ઈચ્છતા હતા. તે સિલાઈ વગર એક કાપડ પર જ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવા ઈચ્છતા હતા. ઘણાં દિવસો દિવસોથી આ કામ કરવા ઈચ્છતા સત્યનારાયણને તેના આ સપનાને પુરા કરવા માટે રૂપિયા 6.5 લાખ રૂપિયાની જરૂર હતી. તે માટે સત્યનારાયણે તેનું ઘર પણ વેચી દીધુ હતું. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં તેને 4 વર્ષનો સમય લાગ્યો.
8X12ના રાષ્ટ્રધ્વજને તૈયાર કરવો સત્યનારાયણ માટે એક અનોખો અનુભવ હતો. તેમને દાવો કર્યો કે એક જ કાપડ પર તૈયાર થયેલો એક પણ રાષ્ટ્રધ્વજ નથી. બધા જ રાષ્ટ્રધ્વજને કેસરી, સફેદ અને લીલા રંગના કાપડને સીલાઈ કરીને તૈયાર કરવામાં આવે છે. હવે સત્યનારાયણ તેમના સપનાને આગળ લઈ જઈને આ રાષ્ટ્રધ્વજને લાલ કિલ્લા પર ફરકાવવા ઈચ્છે છે.
આ પણ વાંચો: ચેતી જજો અમદાવાદીઓ! અમદાવાદની હવા બની શકે છે જીવલેણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાખાપટનમની રેલીમાં સત્યનારાયણે તેમને આ ખાસ રાષ્ટ્રધ્વજ આપ્યો હતો પણ તેની વિશેષતાને જણાવવાની તેમને તક મળી નહતી. સત્યનારાયણે કહ્યું કે આવો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની પ્રેરણા તેમને ‘લિટિલ ઈન્ડિયન્સ’ નામની શોર્ટ ફિલ્મથી મળી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
