Amarnath Yatra: ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા બંધ, પહેલગામમાં ભારે વરસાદ યથાવત, 3 હજાર શ્રદ્ધાળુઓ કેમ્પમાં રોકાયા

Amarnath Yatra Suspended: ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. લગભગ 3000 મુસાફરોને નુનવાન બેઝ કેમ્પ પર રોકવામાં આવ્યા છે.

Amarnath Yatra: ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા બંધ, પહેલગામમાં ભારે વરસાદ યથાવત, 3 હજાર શ્રદ્ધાળુઓ કેમ્પમાં રોકાયા
Amarnath Yatra: Amarnath Yatra closed due to bad weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 11:24 AM

Amarnath Yatra: ખરાબ હવામાનને કારણે મંગળવારે અમરનાથ યાત્રા (Amarnath Yatra) રોકી દેવામાં આવી છે. હાલ આ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે, હવામાનમાં સુધારો થતાં જ તેને ફરી શરૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, પહલગામ રૂટ (Pahalgam Route) પર ભારે વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી છે. જેના કારણે પહલગામના નુનવાન બેઝ કેમ્પ(Nunwan Base Camp)માં લગભગ 3000 શ્રદ્ધાળુઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. થોડા સમય પહેલા, એવું જાણવા મળ્યું હતું કે 6,300 થી વધુ શ્રદ્ધાળુઓની છઠ્ઠી ટુકડી કડક સુરક્ષા વચ્ચે દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત પવિત્ર અમરનાથ ગુફાની મુલાકાત લેવા મંગળવારે રવાના થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. 

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કડક સુરક્ષા વચ્ચે ભગવતી નગર યાત્રી નિવાસથી 239 વાહનોમાં કુલ 6,351 યાત્રાળુઓ રવાના થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જેમાં 4,864 પુરૂષો, 1,284 મહિલાઓ, 56 બાળકો, 127 સાધુઓ, 19 સાધ્વીઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બાલટાલ બેઝ કેમ્પ માટે 2,028 તીર્થયાત્રીઓ સવારે 3.35 વાગ્યે 88 વાહનોમાં પ્રથમ રવાના થયા, ત્યારબાદ 151 વાહનોનો બીજો કાફલો 4,323 યાત્રાળુઓને લઈને કાશ્મીરના પહેલગામ કેમ્પ માટે ગયો.

અમરનાથ યાત્રા 43 દિવસ સુધી ચાલે છે

બાબા બર્ફાનીના દર્શન માટે 43-દિવસીય વાર્ષિક તીર્થયાત્રા 30 જૂનના રોજ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં પરંપરાગત 48-km નુનવાન માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14-km-બાલતાલ માર્ગ દ્વારા શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 72,000 થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બરફથી બનેલા શિવલિંગના દર્શન કરી ચુક્યા છે. રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

હતી જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે પાકિસ્તાનમાંથી દાણચોરી કરાયેલા સ્ટીકી બોમ્બને “ગંભીર ખતરો” ગણાવ્યો હતો પરંતુ સોમવારે ઉમેર્યું હતું કે અમરનાથ યાત્રા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જે સરળતાથી ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે લગભગ 150 આતંકવાદીઓ સરહદ પાર હાજર છે, પરંતુ સુરક્ષા દળો સંપૂર્ણ એલર્ટ પર છે. સુરક્ષા દળોએ ઘાટીમાં ઘૂસવાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. પોલીસ વડાએ રિયાસી જિલ્લાના મહોર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમરનાથ યાત્રા માટે સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા છે.” તેઓ અહીં લશ્કર-એ-તૈયબા (LeT)ના બે વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં પોલીસને મદદ કરવા આવ્યા છે. ગ્રામજનોની પ્રશંસા કરવા ગયા હતા.

બે આતંકવાદીઓ – તાલિબ હુસૈન શાહ, રાજૌરીમાં તાજેતરના વિસ્ફોટો પાછળ મુખ્ય કાવતરાખોર – અને પુલવામામાં તેના કાશ્મીરી સહયોગી, ફૈઝલ અહેમદ ડારને, રવિવારે વહેલી સવારે દૂરના ટક્સન ધોકના ગ્રામજનો દ્વારા પકડવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસને સોંપવામાં આવ્યા હતા. તેમની પાસેથી બે એકે રાઈફલ, એક પિસ્તોલ, સાત ગ્રેનેડ અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">