
દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાની અસર હવે સીધી તમારા હવાઈ સફર પર પડવા જઈ રહી છે. દેશની અગ્રણી એરલાઈન એર ઈન્ડિયા અને તેની પેટા કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે મંગળવારે એક મોટી જાહેરાત કરતા પ્રવાસીઓને આંચકો આપ્યો છે. એરલાઈને તેના ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર ‘ફ્યુઅલ સરચાર્જ’ (ઈંધણ અધિભાર) વધારવાનો નિર્ણય લીધો છે.
એર ઈન્ડિયાનો આ નવો નિયમ આવતીકાલે એટલે કે બુધવાર, 8 એપ્રિલ 2026 થી લાગુ થઈ જશે. જે મુસાફરોએ આ તારીખ પહેલા ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને વધારાના પૈસા આપવા પડશે નહીં. પરંતુ જો તમે ટિકિટમાં કોઈ ફેરફાર કરાવો છો અથવા નવી ટિકિટ બુક કરો છો, તો તમારે નવા દરો મુજબ ચાર્જ ચૂકવવો પડશે.
એર ઈન્ડિયાએ આ વખતે ફ્લેટ રેટને બદલે ‘ડિસ્ટન્સ બેઝ્ડ’ એટલે કે મુસાફરીના અંતરના આધારે નવું માળખું તૈયાર કર્યું છે:
આંતરરાષ્ટ્રીય રૂટ પર સરકારે ઈંધણના ભાવ પર કોઈ નિયંત્રણ રાખ્યું નથી, તેથી અહીં વધારો ઘણો વધારે છે. ગ્લોબલ જેટ ફ્યુઅલના ભાવ વધીને 195.19 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે, જેના કારણે:
એર ઈન્ડિયાનું કહેવું છે કે હાલમાં વિમાન ચલાવવાના કુલ ખર્ચના આશરે 40 ટકા હિસ્સો માત્ર ઈંધણ પાછળ જ ખર્ચાઈ રહ્યો છે. ઈન્ડિગો બાદ એર ઈન્ડિયાનું આ પગલું દર્શાવે છે કે એવિએશન સેક્ટર અત્યારે આર્થિક દબાણ હેઠળ છે.
શું આગામી દિવસોમાં અન્ય એરલાઈન્સ પણ આ રસ્તે ચાલશે? જો તેલના ભાવ હજુ વધશે તો હવાઈ મુસાફરી સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ શકે છે.