AIMIM નેતા ઓવૈસી દ્વારા ઔરંગઝેબની કબર પર ફૂલ ચઢાવવાનો મુદ્દો ગરમાયો, હવે અભિનેત્રી રવીના ટંડનની પોસ્ટ ચર્ચામાં આવી

|

May 15, 2022 | 4:46 PM

અભિનેત્રીએ (Raveena Tondon) કહ્યું હતું કે, દેશમાં દરેક વ્યક્તિને આઝાદી છે કે તેણે કોની પૂજા કરવી જોઈએ, કોની ન કરવી જોઈએ. જો દરેકને આ અધિકાર મળ્યો છે, તો કોઈને આમ કરવાથી રોકી શકાય નહીં. કારણ કે આપણે સહિષ્ણુ લોકો છીએ.

AIMIM નેતા ઓવૈસી દ્વારા ઔરંગઝેબની કબર પર ફૂલ ચઢાવવાનો મુદ્દો ગરમાયો, હવે અભિનેત્રી રવીના ટંડનની પોસ્ટ ચર્ચામાં આવી
Raveena Tondon - Akbaruddin Owaisi

Follow us on

AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસી (Akbaruddin Owaisi AIMIM) ગુરુવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદના પ્રવાસે હતા. તેણે પોતાની પાર્ટીના ઈમ્તિયાઝ જલીલ અને વારિસ પઠાણ જેવા અન્ય નેતાઓ સાથે ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી. ઔરંગઝેબની કબર ઔરંગાબાદના ખુલતાબાદમાં છે. ઓવૈસી ત્યાં ગયા અને મુઘલ શાસકની કબર પર ફૂલ ચઢાવ્યા. આના પર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશભરમાંથી વિરોધ થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આક્રમક રાજા માટે આ સન્માન દર્શાવવું એ માત્ર મહારાષ્ટ્રના લોકોને જ નહીં પરંતુ દેશની જનતાને ચીડવવા જેવું છે.

આજે (15 મે, રવિવાર) અમરાવતીના સાંસદ નવનીત રાણાએ (Navneet Rana) પણ તેમની પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ઉદ્ધવ ઠાકરેને લાચાર સીએમ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જો બાલાસાહેબ ઠાકરે જીવતા હોત તો આવું કરનારાઓને એ જ કબરમાં દફનાવવામાં આવ્યા હોત. હવે આ પર બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને (Raveena Tondon) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

રવિના ટંડને આ પોસ્ટ તેના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી છે. આ ટ્વિટમાં રવિના ટંડનેએ કહ્યું છે કે, ‘થોડા દિવસોથી મારા દેશ પર અસહિષ્ણુ હોવાનું લેબલ લગાવવાની ફેશન શરૂ થઈ ગઈ છે. આ સાબિત કરે છે કે આપણે કેટલા સહનશીલ છીએ. આપણામાં સહન કરવાની તાકાત કેટલી છે તેનું આ ઉદાહરણ છે. તો અસહિષ્ણુતા ક્યાં છે?

રવિના ટંડને ટ્વિટ કર્યું, ‘અસહિષ્ણુ’ શબ્દનો ઉપયોગ કરનારાઓને મારી કિક

‘ભારત આઝાદ છે, કોઈપણ ગમે તે કરે, જે ઇચ્છે છે’

આ ટ્વિટ પહેલા રવિના ટંડને લેખક આનંદ રંગનાથનનું એક ટ્વિટ શેર કર્યું હતું. આ ટ્વીટના જવાબમાં રવિના ટંડને લખ્યું, ‘અમે સહિષ્ણુ છીએ, હતા અને રહીશું. ભારત એક આઝાદ દેશ છે. અહીં કોઈ પણ વ્યક્તિ કોઈની પણ પૂજા કરી શકે છે. અહીં દરેકને સમાન અધિકાર છે.

લેખક આનંદ રંગનાથને પોતાના ટ્વીટમાં એક ઉદાહરણ આપીને સવાલ ઉઠાવ્યો

લેખક આનંદ રંગનાથને AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીનો ફોટો શેર કર્યો છે જેઓ ઔરંગઝેબની કબર પર માથું નમાવવા ગયા હતા. આ ફોટો શેર કરતી વખતે તેણે ઓવૈસીની આ કાર્યવાહી પર કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, જેણે ગુરુ તેગ બહાદુરનું માથું કાપી નાખ્યું, સંભાજી મહારાજનું શિરચ્છેદ કર્યું, કાશીને તોડી પાડી અને 49 લાખથી વધુ હિંદુઓનો નરસંહાર કર્યો તેના સન્માનમાં નમન કરવું એ મનોરોગી કૃત્ય અને ઉશ્કેરણીજનક કૃત્ય છે. કુરાનમાં કોઈની કબર પર પ્રાર્થના કરવાની પણ મનાઈ છે.

ઔરંગઝેબની કબરની મુલાકાત લઈને આદર દર્શાવવો એ ઉશ્કેરણીજનક કૃત્ય સિવાય બીજું કંઈ નથી

રવીના ટંડને લેખક આનંદ રંગનાથનના ટ્વિટ પર પોતાનો જવાબ આપ્યો છે. અભિનેત્રીએ કહ્યું છે કે દેશમાં દરેકને આઝાદી છે કે તેણે કોની પૂજા કરવી જોઈએ, કોની ન કરવી જોઈએ. જો દરેકને આ અધિકાર મળ્યો છે, તો કોઈને આમ કરવાથી રોકી શકાય નહીં. કારણ કે આપણે સહિષ્ણુ લોકો છીએ.

Published On - 4:27 pm, Sun, 15 May 22

Next Article