AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron કેટલો ઘાતક? AIIMSના ડૉક્ટરોએ કહ્યું- બીજી લહેર જેટલો ઘાતક નહીં, પરંતુ સાવધાન રહેવું જરૂરી

AIIMSમાં કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર પુનીત મિશ્રાએ જણાવ્યું હતું કે "મને બીજી લહેર જેવું કંઈ લાગી રહ્યું નથી, પરંતુ ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટીની સંભાવનાને કારણે મોટી સંખ્યામાં કેસ સામે આવી શકે છે."

Omicron કેટલો ઘાતક? AIIMSના ડૉક્ટરોએ કહ્યું- બીજી લહેર જેટલો ઘાતક નહીં, પરંતુ સાવધાન રહેવું જરૂરી
symbolic picture
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 11:17 PM
Share

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron variant) ઝડપથી વધી રહેલા કેસોને જોતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, ઘણા લોકો તેને વધુ ખતરનાક હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. જો કે AIIMSના પ્રોફેસર ડૉ. પુનીત મિશ્રા (AIIMS professor Dr Puneet Mishra) કહે છે કે ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટી ડેલ્ટા કરતા ઘણી વધારે છે, પરંતુ તે ડેલ્ટા જેટલી ગંભીર નહીં હોય. તેમણે એમ પણ કહ્યું કે પરિસ્થિતિ એટલી ખરાબ નહીં હોય જેટલી બીજી લહેર (second wave of corona) દરમિયાન હતી.

ઓમિક્રોન વેરિઅન્ટના જોખમની સંભાવના પર દિલ્હી સ્થિત AIIMSના પ્રોફેસર ડૉ. પુનીત મિશ્રાએ શનિવારે કહ્યું કે ઓમિક્રોનની ટ્રાન્સમિસિબિલિટી ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) કરતાં ઘણી વધારે છે, પરંતુ તે ડેલ્ટા જેટલી ગંભીર નહીં હોય. તેમણે કહ્યું કે નવા સ્ટ્રેનની ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટી ક્ષમતાને કારણે સંક્રમણના કેસ નોંધપાત્ર રીતે વધી શકે છે, પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ નહીં હોય જેટલી તે બીજી લહેર દરમિયાન હતી. તેમણે એમ પણ કહ્યું કે આના કારણે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ કોવિડની ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવાની જરૂર છે.

બીજી લહેરની કોઈ શક્યતા નથીઃ ડૉ. પુનીત

AIIMSમાં કોમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર પુનીત મિશ્રાએ જણાવ્યું હતું કે “મને બીજી લહેર જેવું કંઈ લાગી રહ્યું નથી, પરંતુ ઉચ્ચ ટ્રાન્સમિસિબિલિટીની સંભાવનાને કારણે મોટી સંખ્યામાં કેસ સામે આવી શકે છે.” આ વર્ષની શરૂઆતમાં બીજી લહેર દરમિયાન દેશની હોસ્પિટલોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો, કારણ કે ઘણા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેને કારણે ઓક્સિજનની જરૂર હતી.

દર્દીઓની વધતી સંખ્યાને કારણે ઓક્સિજનની માંગમાં જબરદસ્ત વધારો થયો હતો અને ઘણી જગ્યાએ ઓક્સિજનની તીવ્ર અછત પણ સર્જાઈ હતી. દેશમાં દરરોજ નવા કેસની સંખ્યા એક સમયે વધીને 4 લાખથી વધુ થઈ ગઈ હતી.

ઓમિક્રોનના ઝડપી પ્રસાર સાથે દેશમાં ઘણા લોકોએ તેની તુલના ડેલ્ટા વેરિઅન્ટ સાથે કરી છે, જે કોરોનાનો અગાઉનો વેરીઅન્ટ હતો. ઓમિક્રોન એ કોરોનાનું નવું સ્વરૂપ છે અને તે અત્યંત સંક્રામક હોવાનું માનવામાં આવે છે. હાલમાં આ વેરીઅન્ટ 89 દેશોમાં દેખાયો છે.

આ વેરિઅન્ટના કેસ દોઢ દિવસમાં બમણા થઈ રહ્યા છે: WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ શનિવારે જણાવ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા વિસ્તારોમાં ઓમિક્રોન કેસની સંખ્યા 1.5થી 3 દિવસમાં બમણી થઈ રહી છે. WHOને પ્રથમ વખત ઓમિક્રોન વિશે ખબર પડ્યા પછી તરત જ 26 નવેમ્બરના રોજ variant of concern તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જો કે તેના વિશે હજુ ઘણું જાણી શકાયું નથી, જેમા બિમારીની ગંભીરતા પણ સામેલ છે.

ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું “ઓમિક્રોનની ગંભીરતા અંગે હજુ પણ મર્યાદિત ડેટા છે. આ પ્રકારની ગંભીરતા તેમજ રસીકરણની અસરને સમજવા માટે વધુ ડેટાની જરૂર છે. હજી પણ મર્યાદિત ડેટા ઉપલબ્ધ છે અને ઓમિક્રોન માટેની રસીની અસરકારકતા પર કોઈ ડેટા ઉપલબ્ધ નથી.”

આ પણ વાંચો :  Omicronનો ખૌફ : TNએ કેન્દ્રને લખ્યો પત્ર, કહ્યું- વિદેશથી આવતા પ્રવાસીના ટેસ્ટિંગ માટેના નિયમો બદલવામાં આવે

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">