મુસ્લિમ એજ્યુકેશનલ સોસાયટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પોતાના પરિપત્રમાં તેમણે સંસ્થાની અંદર બુરખાને પ્રતિબંધિત કરી દીધો છે. કેરલના મલપ્પુરમ જીલ્લાની એક કોલેજને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. 17 એપ્રિલના રોજ કાલિકટમાં મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા આ પરિપત્ર પસાર કરાયો હતો અને તે જણાવે છે કે એમઇએસ હેઠળની તમામ શાળાઓ અને કૉલેજોમાં બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સંસ્થા 35 કોલેજ અને 72 શાળાઓ ચલાવે છે. અને ભારતની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં એક છે. આશરે 1 લાખ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં જોડાયેલા છે.
મહત્વનું છે કે શ્રીલંકામાં ચર્ચ અને અન્ય સ્થળ પર બોમ્બ બલાસ્ટ બાદ ત્યાની સરકારે બુરખા પર એક પ્રકારનો પ્રતિબંધ લાદી દીધો હતો. જેની વૈચારીક અસર ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. ભારતમાં પણ શિવસેનાએ બુરખા પર પ્રતિબંધ કરવા માટેની માગણી કરી હતી. જેના પર ઔવેસીએ પ્રતિકાર કર્યો હતો. ત્યારે કેરલની આ સંસ્થાના પરિપત્રથી ફરી એક વખત ચર્ચાએ જોર પકડી લીધું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 12:36 pm, Thu, 2 May 19