આધાર કાર્ડની જાણકારી આપતા પહેલા વિચાર કરજો ખોટી જાણકારી આપવા પર લાગી શકે છે આટલો મોટો દંડ!

|

Jul 14, 2019 | 6:29 AM

બજેટ જાહેર થયા પછી લોકો હવે 18 જરૂરી સેવાઓ માટે પાન કાર્ડની જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ કરી શકે છે પણ કોઈ પ્રકારની લેવડ-દેવડ કરતા સમયે જો તમે ખોટો આધાર નંબર આપ્યો તો તમને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. અધિકૃત સુચના જાહેર થયા પછી આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગૂ થઈ શકે છે. આ આદેશ પહેલા […]

આધાર કાર્ડની જાણકારી આપતા પહેલા વિચાર કરજો ખોટી જાણકારી આપવા પર લાગી શકે છે આટલો મોટો દંડ!

Follow us on

બજેટ જાહેર થયા પછી લોકો હવે 18 જરૂરી સેવાઓ માટે પાન કાર્ડની જગ્યાએ આધારકાર્ડનો ઉપયોગ કરી શકે છે પણ કોઈ પ્રકારની લેવડ-દેવડ કરતા સમયે જો તમે ખોટો આધાર નંબર આપ્યો તો તમને 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

અધિકૃત સુચના જાહેર થયા પછી આ નિયમ 1 સપ્ટેમ્બરથી લાગૂ થઈ શકે છે. આ આદેશ પહેલા સંબંધિત વ્યક્તિની વાત સાંભળવામાં આવશે. તેના સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું કે આવકવેરા અધિનિયમની કલમ 272 Bમાં પાન કાર્ડના ઉપયોગથી સંબંધિત ઉલ્લંઘનો પર દંડાત્મક કાર્યવાહી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં પાલિકાએ મુકેલી કચરા પેટીને વેપારીએ ઉખેડીને ફેંકી દીધી, VIDEO વાયરલ થયા બાદ પાલિકાએ તપાસ હાથ ધરી, જુઓ VIDEO

તેના પહેલા CBDTના અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું હતું કે પાન કાર્ડનો ઉપયોગ નિશ્ચિત રીતે ખત્મ થયો નથી અને બજેટમાં પાન કાર્ડ અને આધારકાર્ડને એક બીજાની જગ્યાએ ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમને વધુમાં જણાવ્યું કે આ મામલે જ્યાં આધાર કાર્ડના સંદર્ભ આપવામાં આવી રહ્યો છે અને ત્યાં પાન કાર્ડનો ઉલ્લેખ નથી. ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરનારા વ્યક્તિને પાન કાર્ડ આપવાની સંભાવના વિશે વિચારી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું હતું કે ભારતમાં 1.2 અરબ લોકોની પાસે આધાર કાર્ડ છે, જ્યારે તેની તુલનામાં પાન કાર્ડ માત્ર 22 કરોડ લોકોની પાસે છે. તેથી કરદાતા પાન કાર્ડ નંબર ન હોવાને લીધે આધાર કાર્ડ નંબરથી ઈન્કમ ટેક્ષ રિટર્ન ભરી શકે છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article