સોમવારે નાગપુર રેલવે સ્ટેશન (Nagpur Railway Station) પર શંકાસ્પદ વસ્તુઓથી ભરેલી બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બાદમાં આરપીએફ (RPF) અને બીડીડીએસની (BDDS) ટીમ તેની તપાસ કરી હતી. નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે બેગમાંથી ખૂબ જ ઓછી વિસ્ફોટક સામગ્રીવાળા 54 ડિટોનેટર (Detonators) મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એક પોલીસકર્મીએ સાંજે લગભગ 7.30 વાગ્યે રેલ્વે સ્ટેશનના મુખ્ય દ્વારની બહાર ટ્રાફિક પોલીસ બૂથ પાસે એક બિનવારસી બેગ પડેલી જોઈ હતી.
આ પછી ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિફ્યુઝલ અને ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી તરફ, રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓએ સાવચેતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. અધિકારીએ જણાવ્યું કે BDDS ટુકડી રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી અને બેગને પોતાના કબજામાં લઈ લીધી. નાગપુર રેલવે સ્ટેશન પર નાઇટ પેટ્રોલિંગ માટે QRT જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે પોલીસ બેગ મુકનાર વ્યક્તિને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
Maharashtra | A bag containing suspicious items has been found at Nagpur railway station. Railway Protection Force (RPF) and BDDS (Bomb Detection and Disposal Squads) teams are investigating it: Ashutosh Pandey, RPF Official Central Railway, Nagpur pic.twitter.com/qMD0kCU1RC
— ANI (@ANI) May 9, 2022
સોમવારે જ પંજાબના મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ યુનિટના હેડક્વાર્ટર પરિસરમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ લગભગ 7:45 વાગ્યે થયો હતો અને હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. વિસ્ફોટની આ ઘટના 24 એપ્રિલે ચંદીગઢની બુરૈલ જેલ પાસે વિસ્ફોટક સામગ્રી મળી આવ્યાના થોડા દિવસો બાદ બની હતી.
અગાઉ રવિવારે, પંજાબ પોલીસે તરનતારન જિલ્લાના એક ગામમાં આશરે 1.5 કિલો RDX ધરાવતું વિસ્ફોટક ઉપકરણ રિકવર કર્યા પછી બે લોકોની ધરપકડ કરી હતી. બ્લેક મેટલ બોક્સમાં પેક કરાયેલ અને 2.5 કિલોથી વધુ વજન ધરાવતું IED ટાઈમર, ડિટોનેટર, બેટરીથી પણ સજ્જ હતું, ધરપકડ અને જપ્તીને કારણે, સરહદી રાજ્યમાં સંભવિત આતંકવાદી હુમલો ટાળી ગયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. ત્રણ દિવસ પહેલા, પંજાબ પોલીસ પાસેથી મળેલી માહિતીના આધારે, હરિયાણા પોલીસે કરનાલમાં ચાર લોકોની ધરપકડ કરી હતી, જેમની પાસેથી ધાતુના કેનમાં ભરેલા ત્રણ IED (2.5-2.5 કિગ્રા) મળી આવ્યા હતા.