ભારતમાં ઘૂસણખોરી કરતા 6 બાંગ્લાદેશીઓની ધરપકડ, BSFએ માનવતા દાખવી BGBને સોંપ્યા

10 એપ્રિલ 2022ની રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેની ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી 68મી કોર્પ્સે, બીએસએફ જવાનોએ ત્રણ મહિલાઓ, બે પુરુષો અને એક બાળકની ઘૂસણખોરી દરમિયાન કુલ 6 લોકોને કસ્ટડીમાં લીધા હતા.

ભારતમાં ઘૂસણખોરી કરતા 6 બાંગ્લાદેશીઓની ધરપકડ, BSFએ માનવતા દાખવી BGBને સોંપ્યા
Photo: Bangladeshi arrested from Bangladesh border.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:15 PM

10 એપ્રિલ 2022ની રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેની ભારત-બાંગ્લાદેશ સરહદ પર (India-BangladeshBorder) ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી 68મી કોર્પ્સ, રાણાઘાટ અને જીતપુરના બીએસએફ જવાનોએ ત્રણ મહિલાઓ, બે પુરુષો અને એક બાળકને ઘૂસણખોરી દરમિયાન કુલ 6 લોકોને કસ્ટડીમાં લીધા હતા. જોકે ધરપકડ કરાયેલા લોકોને માનવતા અને સદ્ભાવના ખાતર બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને સોંપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે શનિવારે પણ બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશતા છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેને પણ BGBને સોંપવામાં આવ્યા હતા. દરમિયાન રવિવારે દાણચોરો સાથેની અથડામણમાં એક દાણચોર માર્યો ગયો હતો અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી અમદાવાદમાં ઘરકામ કરવાનું કામ કરતી હતી

બીએસએફ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પૂછપરછ પર, રૂમા (કાલ્પનિક નામ)એ ખુલાસો કર્યો કે તે 2019 માં પ્રથમ વખત ભારત આવી હતી અને અમદાવાદના ભગવતી નગરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. 2021માં તેણીનો સંપર્ક એક વ્યક્તિ સાથે થયો હતો. જેનું નામ રામ દરબાર હતું. ધરપકડ કરાયેલા બાકીના લોકો તેમના સંબંધીઓને મળવા અથવા કામની શોધમાં ભારત આવવા માંગતા હતા. 68મી કોર્પ્સના કમાન્ડિંગ ઓફિસર યોગીન્દર અગ્રવાલે કહ્યું કે, સીમા સુરક્ષા દળ ભારત-બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી રોકવા માટે કડક પગલાં લઈ રહ્યું છે, જેના કારણે કેટલાક લોકો પકડાઈ રહ્યા છે. ધરપકડ કરાયેલા લોકોના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અને બંને દેશોના બોર્ડર ગાર્ડિંગ ફોર્સના પરસ્પર સહયોગ અને સદ્ભાવનાને કારણે તેમાંથી કેટલાકને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને સોંપવામાં આવ્યા છે.

BSFએ બાંગ્લાદેશ સરહદ પર સતર્કતા વધારી છે

જણાવી દઈએ કે, બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ મામલામાં બીએસએફ દ્વારા દરરોજ બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી રહી છે. BSFએ બાંગ્લાદેશ સરહદ પર દેખરેખ અને તકેદારી વધારી છે.રવિવારે દાણચોરો સાથેની અથડામણમાં એક દાણચોર માર્યો ગયો અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો: NATA 2022 Registration: આર્કિટેક્ચરમાં નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટેની અરજી પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: લોકરક્ષક દળની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી: હસમુખ પટેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">