AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અયોધ્યા માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, જાણો કેવી રીતે બદલાશે રામ જન્મભૂમિની તસવીર

રામ મંદિરના નિર્માણની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે આઝાદીના 100 વર્ષ પૂરા થવા સુધી અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

અયોધ્યા માટે 20 હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી, જાણો કેવી રીતે બદલાશે રામ જન્મભૂમિની તસવીર
20,000 crore project approved for Ayodhya (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 10:05 AM
Share

Ayodhya Development: રામ મંદિરના નિર્માણની સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Narendra Modi) અને ભાજપની આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી અયોધ્યા(Ayodhya) ને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની કલ્પના કે સ્વપ્ન સાકાર કરવાની દિશામાં કદમ વધવા લાગ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એકલા તેમના મંત્રાલયમાંથી 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. 

તાજેતરમાં 84 કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો મળ્યો છે. એટલું જ નહીં ચાર હજાર કરોડના ખર્ચે 275 કિમીના હાઈવે બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દસ હજાર કરોડના ખર્ચે અયોધ્યા થઈને ગોરખપુર-લખનૌ નેશનલ હાઈવેને સિક્સ લેન કરવાના પ્રોજેક્ટને પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ ઉપરાંત છ હજાર કરોડના ખર્ચે લગભગ 70 કિમીનો રિંગ રોડ જેને હવે બાયપાસ રોડ નામ આપવામાં આવ્યું છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરી 6 જાન્યુઆરીએ તેનો શિલાન્યાસ કરશે. 

ચાર રેલ્વે ઓવરબ્રિજ, સરયુ નદી પર બે પુલ અને પાંચ મુખ્ય રસ્તાઓ બનાવવામાં આવશે

70 કિલોમીટરનો રિંગ રોડ અયોધ્યા, બસ્તી અને ગોંડાના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે. તેનો ડીપીઆર અમદાવાદ સ્થિત કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંપાદિત જમીનના વળતરનો સમાવેશ થાય છે. સાંસદ લલ્લુ સિંહના જણાવ્યા અનુસાર ચાર રેલવે ઓવરબ્રિજ, સરયૂ નદી પર બે પુલ અને પાંચ મુખ્ય રસ્તાઓ બનાવવાના છે. આ બાયપાસથી કનેક્ટિવિટી પહેલા કરતા વધુ સારી રહેશે. ધાર્મિક પ્રવાસની સાથે સાથે વેપારીઓને પણ ફાયદો થશે. 

275 કિમી લાંબો 84 કોસી પરિક્રમા રૂટ

અયોધ્યામાં લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે 275 કિલોમીટર લાંબો 84 કોસી પરિક્રમા માર્ગ બનાવવામાં આવશે, જેના માટે PWDની NH વિંગે સર્વે પૂર્ણ કરી લીધો છે. આ માર્ગ દ્વારા અયોધ્યાના પૌરાણિક મહત્વના 51 તીર્થસ્થળોને જોડવામાં આવશે. હાલમાં અયોધ્યા, આંબેડકર નગર, ગોંડા, બારાબંકી અને બસ્તીમાંથી પસાર થતો આ પરિક્રમા રૂટ લગભગ 233 કિલોમીટર લાંબો છે. આ માટે 45 મીટર જમીન પહોળાઈમાં લેવામાં આવશે. લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે જમીન લેવાનું કામ ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાનું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવનાર પરિક્રમા માર્ગ 275 કિલોમીટર લાંબો હશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">