Heat Wave: UP-બિહાર બાદ ઓડિશામાં પણ હાહાકાર, લૂ લાગવાથી 20 લોકોના મોત

ઓડિશા સહિત ઘણા રાજ્યો ગરમીની લપેટમાં છે. ઓડિશામાં 20 લોકોના મોત થયા છે, તો બીજી તરફ યુપી અને બિહારમાં પણ અનેક લોકોના મોત થયા છે. યુપીમાં સૌથી વધુ મોત બલિયા જિલ્લામાં થયા છે.

Heat Wave: UP-બિહાર બાદ ઓડિશામાં પણ હાહાકાર, લૂ લાગવાથી 20 લોકોના મોત
સાંકેતિક ફોટોImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 10:25 AM

Odisha: દેશમાં એક તરફ વાવાઝોડા અને પૂરે તબાહી મચાવી છે તો બીજી તરફ આકરી ગરમી અને ગરમીના મોજા લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ઓડિશામાં હીટવેવ અને હીટ સ્ટ્રોકના કારણે 20 લોકોના મોત થયા છે. ભુવનેશ્વરમાં સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) ઓફિસે પણ સ્વીકાર્યું છે કે રાજ્યમાં ગરમીના મોજાને કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાચો: Bihar-UP Weather Alert: લૂ લાગવાથી 100થી વધુના મોત! બિહાર-યુપીના અનેક જિલ્લાઓમાં હીટવેવનું રેડ એલર્ટ

રવિવારે સ્પેશિયલ રિલીફ કમિશનરની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી અમને લૂ લાગવાના કારણે 20 લોકોના મોતની માહિતી મળી છે. બાલાસોર જિલ્લામાં પણ હીટ સ્ટ્રોકથી એક વ્યક્તિનું મોત થયું છે. જિલ્લાના કલેક્ટર આ અંગે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. વિભાગ દ્વારા પીડિત પરિવારને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

હવામાન વિભાગની આગાહી SRCએ કહ્યું છે કે રાજ્યમાં આગામી 3-4 દિવસ સુધી આકરી ગરમી પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં લોકોને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને બપોરના તાપમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે લોકોને પોતાને હાઇડ્રેટ રાખવા અને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

ઝારસુગુડા સૌથી ગરમ શહેર

IMD અનુસાર, રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઝારસુગુડા સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યાં બપોરે 1:30 કલાકે શહેરનું તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું. આ પછી સંબલપુર બીજા નંબર પર રહ્યું જ્યાં તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું.

યુપી અને બિહારમાં પણ હીટવેવની અસર

યુપી અને બિહારમાં પણ હીટ વેવના કારણે મોતના કિસ્સા જોવા મળ્યા છે. યુપીના બલિયા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ગરમીના કારણે 57 લોકોના મોત થયા છે. યુપીની યોગી આદિત્યનાથ સરકારે ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની બદલી કરી છે. તે જ સમયે, યુપીને અડીને આવેલા બિહારમાં, ગરમીના મોજાને કારણે 50 થી વધુ લોકોના મોત થયા છે. આમાં સૌથી વધુ મૃત્યુ અરાહ જિલ્લામાં જોવા મળ્યા છે. જો કે આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">