મુંબઇના થાણે વિસ્તારમાં બે બાળકો તંત્રની બેદરકારીથી મોતને ભેટ્યા છે. મુંબઇને ઠાણે વિસ્તામાં ખાડો ખોદવામાં આવ્યો હતો. અને જેની આજુબાજુ કોઇ સુરક્ષાનો પહેરો ન હતો. આ બંન્ને બાળકો શાળાએથી ઘરે પરત જતા હતા. અને ખાડામાં પાણી જોઇને તેમાં રમવા ઉતર્યા હતા. બાળકો ખાડાની ઉંડાઇથી અજાણ હતા. જેથી બંન્ને પાણીમાં ડૂબ્યા અને મોતને ભેટ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઘટના સોમવારે સાંજે બની હતી. જેની કલ્યાણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી. હાલ પોલીસે બંન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રુક્ષમણી હોસ્પિટલ મોકલ્યા છે. પોલીસ અત્યારે ખાડો ખોદવા પાછળનું કારણ, કોના કહેવા પર ખાડો ખોદાયો અને કોણ છે ગુનેગાર.. આ તમામ બાબતે કડક તપાસ હાથ ધરી છે.
[yop_poll id=”1″]
Published On - 10:46 am, Tue, 9 July 19