AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાવિકાસ અઘાડી સરકારમાં કકળાટ! ‘શિવસેના સાથે થઈ રહ્યો છે અન્યાય’… તાનાજીએ કોંગ્રેસ-NCP પર સાધ્યું નિશાન

શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો છે કે તેમના વરિષ્ઠ નેતાઓમાં એવી ધારણા છે કે તેમના નેતૃત્વમાં સત્તાધારી ગઠબંધનમાં પાર્ટી સાથે પક્ષપાતપુર્ણ વ્યવહાર થઈ રહ્યો છે. નાણાપ્રધાન અજિત પવાર દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના રાજ્યના બજેટમાં આ બાબત જોવા મળે છે.

મહાવિકાસ અઘાડી સરકારમાં કકળાટ! 'શિવસેના સાથે થઈ રહ્યો છે અન્યાય'... તાનાજીએ કોંગ્રેસ-NCP પર સાધ્યું નિશાન
Shiv Sena MLA and former Maharashtra minister Tanaji Sawant. (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 8:13 PM
Share

શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રના (Maharashtra) ભૂતપૂર્વ પ્રધાન તાનાજી સાવંતે દાવો કર્યો છે કે તેમના વરિષ્ઠ નેતાઓમાં એવી ધારણા છે કે તેમના નેતૃત્વમાં સત્તાધારી ગઠબંધનમાં પાર્ટી સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર થઈ રહ્યો છે. નાણાપ્રધાન અજિત પવાર દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના રાજ્યના બજેટમાં આ બાબત જોવા મળે છે. તેમણે કહ્યું કે શિવસેનાના કારણે જ એનસીપી અને કોંગ્રેસ સત્તામાં આવ્યા અને હવે તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા ભગવા સંગઠન સાથે “અન્યાય” કરી રહ્યા છે, જે નવેમ્બર 2019થી ત્રણ પક્ષોની મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે.

સોલાપુરમાં પાર્ટીના કાર્યકરોને સંબોધતા સાવંતે દાવો કર્યો કે NCPની આગેવાની હેઠળના વિભાગોને 2022-23ના બજેટમાં કુલ ફાળવણીના 57-60 ટકા મળ્યા છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર, જેમની પાસે ફાઈનાન્સ પોર્ટફોલિયો પણ છે, તેમણે 11 માર્ચે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. તે NCPના વરિષ્ઠ નેતા છે, જે શિવસેનાની આગેવાની હેઠળની MVA સરકારમાં બીજા સૌથી મોટા ઘટક છે.

‘બજેટની વહેંચણી ત્રણ પક્ષોમાં સમાન નથી’

સાવંતે કહ્યું કે શિવસેનાના તમામ વરિષ્ઠ નેતાઓ એક સમાન વિચારી રહ્યા છે, પછી ભલે તે કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા કે વિદર્ભમાંથી આવતા હોય કે પાર્ટી (શિવસેના) સાથે બેવડા ધોરણો સાથે વ્યવહાર થઈ રહ્યો છે. સાવંતના કહેવા પ્રમાણે ત્રણેય પક્ષો વચ્ચે બજેટની વહેંચણી સમાન નથી થઈ રહી. એનસીપી અને કોંગ્રેસને શિવસેના કરતાં વધુ બજેટ મળી રહ્યું છે. પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે શિવસેનાની સરકાર હોવા છતાં શિવસેનાની અવગણના કરવામાં આવી રહી છે.

બજેટમાંથી આ વાત પણ બહાર આવી છે. બજેટના 57 ટકાથી 60 ટકા NCPને આપવામાં આવ્યા છે.  તે જ સમયે કોંગ્રેસને બજેટના 30 ટકાથી 35 ટકા અને શિવસેનાનો હિસ્સો માત્ર 16 ટકા હતો. તેમાંથી 6 ટકા વિવિધ વિભાગોના પગાર પાછળ ખર્ચવામાં આવે છે. વિકાસના કામો માટે માત્ર 10 ટકા જ ફાળવવામાં આવ્યા છે.

‘અમારી ધીરજની કસોટી ન કરો’

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">