મુંબઈથી ગોરખપુર માટે રવાના થયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહોંચી ગઈ ઓડિશા, રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી

|

Sep 28, 2020 | 7:25 PM

બે મહિનાથી લોકડાઉન પુરૂ થવાની રાહ જોઈ રહેલા પરપ્રાંતિય મજૂરો માટે રાહ ખત્મ જ નથી થતી. ઘણા મજૂરો જે ચાલીને, બસમાં, ટ્રકમાં કે અન્ય માધ્યમો દ્વારા પોતાના ઘર સુધી પહોંચી ચૂક્યા છે. મજૂરો માટે સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી. તેનાથી શહેરમાં ફસાયેલા શ્રમિકોમાં આશા જાગી અને તેમને રાહતનો શ્વાસ લીધો કે હવે તે સલામત […]

મુંબઈથી ગોરખપુર માટે રવાના થયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન પહોંચી ગઈ ઓડિશા, રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી
ફાઈલ ફોટો

Follow us on

બે મહિનાથી લોકડાઉન પુરૂ થવાની રાહ જોઈ રહેલા પરપ્રાંતિય મજૂરો માટે રાહ ખત્મ જ નથી થતી. ઘણા મજૂરો જે ચાલીને, બસમાં, ટ્રકમાં કે અન્ય માધ્યમો દ્વારા પોતાના ઘર સુધી પહોંચી ચૂક્યા છે. મજૂરો માટે સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી. તેનાથી શહેરમાં ફસાયેલા શ્રમિકોમાં આશા જાગી અને તેમને રાહતનો શ્વાસ લીધો કે હવે તે સલામત રીતે પોતાના ઘરે પહોંચી જશે પણ બેદરકારી ત્યારે સામે આવી, જ્યારે મુંબઈથી ઉત્તરપ્રદેશના ગોરખપુર જવા માટે નીકળેલી ટ્રેન ઓડિશા પહોંચી ગઈ. મુંબઈથી ટ્રેનમાં બેઠેલા લોકોએ જ્યારે સવારે ઉઠીને જોયું તો તે ગોરખપુરમાં નહીં પણ ઓડિશા પહોંચી ચૂક્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

21 મેના રોજ મુંબઈના વસઈ સ્ટેશનથી ગોરખપુર માટે રવાના થયેલી ટ્રેન અલગ માર્ગ પર ચાલતા ઓડિશાના રાઉરરેલા પહોંચી ગઈ. નારાજ મુસાફરોએ જ્યારે રેલવે પાસે જવાબ માંગ્યો તો ત્યાં હાજર અધિકારીઓએ કહ્યું કે કંઈક ગડબડના કારણે ટ્રેનના ચાલક પોતાનો રસ્તો ભૂલ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર મામલે રેલવે ચાલકની કોઈ ભૂલ નથી. ગંતવ્યમાં પરિવર્તન ડિઝાઈન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે રેલવેમાં મુસાફરી કરેલા યાત્રીઓને રૂટમાં ફેરફારને લઈ કોઈ જાણકારી કેમ ના આપવામાં આવી? રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. હાલમાં આ પ્રવાસી મજૂરો મુંબઈથી નીકળીને હવે ઓડિશામાં ફસાઈ ગયા છે અને તેઓ પોતાના ઘરે પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:35 pm, Sat, 23 May 20

Next Article