મુંબઈમાં શિંદે જૂથની પ્રથમ શિવસેના શાખાનું થયું ઉદ્ઘાટન, BMC પર કબજો કરવાની તૈયારી

|

Aug 13, 2022 | 11:57 PM

શું શિંદે જૂથની તાકાત અને બીજેપીના નવા મુંબઈ (Mumbai) અધ્યક્ષ આશિષ શેલારના નેતૃત્વમાં ભાજપની તાકાત મુંબઈમાં ઠાકરેની શિવસેનાની (Shivsena) તાકાતને ખતમ કરી શકશે?

મુંબઈમાં શિંદે જૂથની પ્રથમ શિવસેના શાખાનું થયું ઉદ્ઘાટન, BMC પર કબજો કરવાની તૈયારી
Eknath Shinde and Uddhav Thackeray (File Image)

Follow us on

મુંબઈ (Mumbai) ઠાકરે પરિવારની શક્તિનું કેન્દ્ર છે. મુંબઈ મહાનગરપાલિકા એ ઠાકરે જૂથની શિવસેનાનો શ્વાસ છે. શિવસેના BMCમાં 25 વર્ષથી સત્તામાં છે. શિંદે જૂથે શિવસેનાને (Shiv Sena) ઘણી હદ સુધી પોકળ કરી નાખી છે, પરંતુ શિવસેનાના સૌથી મજબૂત કિલ્લાને તોડી શક્યા નથી. અહીંથી અત્યાર સુધી શિંદે માત્ર એક કોર્પોરેટર શ્વેતા મ્હાત્રેને પોતાના પક્ષમાં લેવામાં સફળ રહ્યા છે. મુંબઈમાં શિવસેનાની સંપૂર્ણ તાકાત હજુ પણ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. પરંતુ હવે ભાજપ અને શિંદે જૂથ આગામી BMC ચૂંટણીમાં લડવા માટે તૈયાર છે.

શું શિંદે જૂથની તાકાત અને બીજેપીના નવા મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારના નેતૃત્વમાં ભાજપની તાકાત મુંબઈમાં ઠાકરેની શિવસેનાની તાકાતને ખતમ કરી શકશે? આનો જવાબ આપતા શનિવારે ઉદ્ધવ ઠાકરેએ માર્મિક પત્રિકાની 62મી વર્ષગાંઠના કાર્યક્રમમાં શિવસેનાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે તેમની પાસે ભલે 52 કે 152નું સંખ્યાબળ હોય, તેઓ શિવસેનાની તાકાતને ખતમ કરી શકશે નહી.

શિવસેના ભવન પર ચર્ચા, શિંદે જૂથની પ્રથમ શાખા મુંબઈમાં ખુલી

આ દરમિયાન ચર્ચા શરૂ થઈ કે શિંદે જૂથ મુંબઈના દાદરમાં શિવસેના ભવન પાસે પોતાનું અલગ શિવસેના ભવન તૈયાર કરી રહ્યું છે. શુક્રવારે એવા સમાચારો પર ચર્ચા ચાલી રહી હતી કે શિવસેના ભવનનું ડુપ્લિકેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કાર્યાલય ખોલવામાં આવી રહ્યું છે જ્યાં મુંબઈના દરેક વોર્ડની ઓફિસો હશે? નામ ગમે તે હોય, આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે, આવી ઓફિસો માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ પુણે અને ઔરંગાબાદમાં પણ ખોલવામાં આવશે. એટલે કે એ પણ સ્પષ્ટ છે કે શિંદે જૂથ મોટા શહેરોમાં શિવસેનાની સત્તા પર નજર રાખી રહ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ દરમિયાન, શનિવારે, મુંબઈના માનખુર્દમાં સાંસદ રાહુલ શેવાળે દ્વારા શિંદે જૂથની પ્રથમ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માનખુર્દને મુંબઈનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવા દરેક વોર્ડમાં શિંદે જૂથની શાખાઓ ખુલશે. મુંબઈમાં આવા 227 વોર્ડ છે. આ તમામ વોર્ડની શાળાઓમાં શિંદે જૂથો સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરશે.

શિંદે જૂથની શાખામાં ઉદ્ધવ અને આદિત્યની તસવીરો ન લાગી

બીજી ખાસ વાત એ છે કે શિંદે જૂથની આ શાખામાં બાળાસાહેબ ઠાકરેની સાથે સીએમ શિંદેને શિવસેનામાં લાવનાર અને ઉછેરનાર આનંદ દિઘેની તસવીર છે. આ સિવાય સીએમ એકનાથ શિંદેની તસવીરો છે. પરંતુ અહીં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની તસવીરો ગાયબ છે.

જણાવી દઈએ કે શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે અને લોકસભાના 18માંથી 12 સાંસદો પણ શિંદે જૂથમાં જોડાયા છે. શિંદે જૂથ સતત દાવો કરી રહ્યું છે કે તેમનું જૂથ જ અસલી શિવસેના છે. શિંદે જૂથે શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ તીર પર પણ દાવો કર્યો છે. ચૂંટણી ચિન્હનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. હવે શિંદે જૂથે ઠાકરે જૂથ પાસેથી મુંબઈ મહાનગરપાલિકાની સત્તા છીનવી લેવાની વ્યૂહરચના પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેમને પુરી તાકાતથી ભાજપનું સમર્થન મળી રહ્યું છે.

Next Article