દેશને કોરોના વેક્સિન આપવાવાળા પુનાના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute Of India)ના એક પ્લાન્ટમાં ગુરુવારે આગ લાગી હતી. સિરમ ઈન્સ્ટિટ્યૂટના માનંજરી પરિસરને એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં પાંચ શ્રમિકોના મૃત્યુ થયા છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગની આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પુનાવાલાએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. એમણે આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિજનોને રૂ.25 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
Statement From Cyrus S. Poonawalla, Chairman & Managing Director, Serum Institute of India.
"Today is an extremely sorrowful day for all of us at Serum Institute of India. Regrettably, there were losses of lives in the fire that broke out in our under installation facility… pic.twitter.com/QJLofvwGRV
— SerumInstituteIndia (@SerumInstIndia) January 21, 2021
કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા શ્રમિકો મૃત્યુ પામ્યા
મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે બિલ્ડિંગ નિર્માણ દરમિયાન વેલ્ડિંગના તણખલાથી આગ લાગી છે. આ આગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા શ્રમિકો મૃત્યુ પામ્યા છે. જેમાં યુપીના બે, પુનાના બે અને બિહારના એક શ્રમિકનો સમાવેશ થાય છે.
અદાર પુનાવાલાએ 25 લાખની સહાયની કરી જાહેરાત
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પુનાવાલાએ આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિજનોને રૂ.25 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. એક ટ્વીટમાં એમણે લખ્યું, “આજે ભારતની સીરમ સંસ્થામાં અમારા બધા માટે એક અત્યંત દુ:ખદ દિવસ છે. મંજરી પરિસરમાં લાગેલી આગની આ ઘટનામાં જાનમાલનું નુકસાન થયું છે, અમે ખૂબ દુઃખી છીએ અને દિવંગતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટના અંગે નક્કી કરેલા માનદંડો ઉપરાંત રૂ.25 લાખનું વળતર આપીશું. અમે આ સંકટના સમયે ચિંતા અને પ્રાર્થના કરનારા તમામ પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ.
આ પણ વાંચો: ભુજમાં 10 ગામોને જોડતા બિસ્માર રોડથી લોકોમાં આક્રોશ, રિપેર કરવા ઉગ્ર માંગ