મુંબઈમાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede Case) કેસની મુશ્કેલી ફરી વધી રહી છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકના આરોપો પર તેમને નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટના ઉપાધ્યક્ષ તરફથી ભલે ક્લીનચીટ મળી ગઈ હોય, પરંતુ દલિત સંગઠનોએ તેમની સામે મોરચો ખોલ્યો છે. સમીર વાનખેડે પર નકલી જાતિ પ્રમાણપત્ર બનાવીને નોકરી મેળવવાનો આરોપ છે. આ ઉપરાંત ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં પણ તેમની વિભાગીય તપાસ ચાલી રહી છે.
સમીર વાનખેડેના કાસ્ટ સર્ટિફિકેટ સાથે જોડાયેલા વિવાદમાં ભીમ આર્મી પણ મેદાનમાં આવી ગઈ છે. ભીમ આર્મીના રાષ્ટ્રીય મહાસચિવ અશોક કાંબલેએ બુધવારે મુંબઈના માટુંગા ખાતે જિલ્લા જાતિ પ્રમાણપત્ર તપાસ સમિતિ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે સમીરના કાસ્ટ સર્ટિફિકેટની તપાસ થવી જોઈએ. આ સંગઠનનો દાવો છે કે સમીરનું જાતિ પ્રમાણપત્ર બનાવટી છે, સમીરે એક દલિત છોકરાનો હક છીનવી લીધો છે. ભીમ આર્મી ટૂંક સમયમાં સમીર વિરુદ્ધ આંદોલન કરવાની પણ યોજના બનાવી રહી છે. દલિત સંગઠનો તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે સમીર વાનખેડેએ નોકરી મેળવવા માટે પોતે એસસીમાંથી આવે છે તેવું જણાવ્યું હતું.
માત્ર ભીમ આર્મી જ નહીં, પરંતુ સ્વાભિમાની રિપબ્લિકન આર્મીએ પણ સમીર પર અનામત મેળવવા માટે નકલી કાગળો બતાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના વતી જિલ્લા જાતિ ચકાસણી સમિતિમાં (District Caste Scrutiny Committee) ફરિયાદ પણ કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા સમીર વાનખેડે દિલ્હીમાં એસસી/એસટી કમિશનની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં તેણે પોતાનું જાતિનું પ્રમાણપત્ર, તેની પ્રથમ પત્નીના બાળકનું જન્મ પ્રમાણપત્ર અને છૂટાછેડાના કાગળો આપ્યા. અત્યારે કમિશન તે પેપરોની તપાસ કરી રહ્યું છે, પરંતુ તે પહેલા જ સમીર વાનખેડે પર આક્ષેપો થવા લાગ્યા છે.
બીજી તરફ સમીર વાનખેડેના પિતાએ આગ્રહ કર્યો છે કે તે દલિત છે અને તેમનો પુત્ર પણ દલિત છે. તેને મુસ્લિમ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ આ દાવાઓથી વિપરીત સમીરની પહેલી પત્નીના પિતા કહે છે કે તેમની પુત્રીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા હતા અને ત્યાં તમામ ઈસ્લામિક રીત-રિવાજોનું પાલન કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં બંને પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. સમીરને લગ્ન કરાવનાર મૌલાનાએ પણ આગળ આવીને દાવો કર્યો છે કે તે મુસ્લિમ છે.
સમીર હાલમાં નકલી જાતિ પ્રમાણપત્રો જ નહીં, પરંતુ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે જોડાયેલા આ કેસમાં સમીર વાનખેડે પર પણ પૈસા લેવાનો આરોપ છે. પ્રભાકર સાઈલ નામના એક સાક્ષીએ મીડિયા સામે જણાવ્યું કે આર્યનને છોડાવવા માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી. હાલમાં NCB દ્વારા આ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ નવાબ મલિક પણ સમીર વાનખેડે અંગે સતત નવા દાવા કરી રહ્યા છે.
આ પણ વાંચો : Aryan Drugs Case : સેમ ડિસૂઝાની વધી મુશ્કેલી, બોમ્બે હાઈકોર્ટે ધરપકડ પુર્વની જામીન અરજી ફગાવી