Symbolic Image
મહારાષ્ટ્રના (Maharashtra) અહમદનગર જિલ્લાના કોપરગાંવમાં એક કન્ટેનર ટ્રકે થ્રી-વ્હીલરને ટક્કર (Road Accident) મારી હતી, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હતા. અહમદનગર પોલીસે (Ahmadnagar Police) જણાવ્યું કે અકસ્માત બાદ ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો. આ દરમિયાન એક ઝડપી ટ્રકે મુસાફરોથી ભરેલી ઓટોને ટક્કર મારી હતી. જેમાં સાત મુસાફરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ ઘાયલ થયા છે.
અહમદનગર પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના કોપરગાંવ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના મસૂદપુર ફાટા પાસે બની હતી. આ સ્થળ મુંબઈથી લગભગ 240 કિમી દૂર છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત સવારે 8 વાગ્યે થયો હતો. તેણે જણાવ્યું કે, ઝડપભેર આવતા કન્ટેનર ટ્રકે મુસાફરોથી ભરેલી ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને બે મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા, જ્યારે 6 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઉત્તર પ્રદેશમાં પણ માર્ગ અકસ્માતની ગંભીર ઘટના
ઉત્તર પ્રદેશના રામપુર પોલીસ સ્ટેશનના અઝીમ નગર વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં એક ઈનોવા કાર કાબૂ બહાર જતા રોડની બાજુના થાંભલા સાથે અથડાઈને ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં બેઠેલા 6 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો. એસપી રામપુર પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને અકસ્માતમાં મૃતકોના મૃતદેહોના પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
માર્ગ અકસ્માતમાં ઘાયલ ચાર લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તમામ ઘાયલોને રામપુર જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચાર ઘાયલોમાંથી ત્રણની હાલત નાજુક છે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાયલોને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુરાદાબાદ જિલ્લાના ડિલારીના રેટા માફી ગામમાં 11 લોકો લગ્નમાં જઈ રહ્યા હતા, જ્યાં અઝીમ નગરના રામપુર જિલ્લામાં ઈનોવા કાર અચાનક એક થાંભલા સાથે અથડાઈ હતી. જેમાં કારમાં બેઠેલા 6 લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા હતા અને લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી.