AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : રાજકારણમાં ગરમાવો ! NCP વડા શરદ પવાર આજે PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી કરશે સન્માનિત

પીએમ મોદી અને શરદ પવાર એક જ મંચ પર જોવા મળશે તેમજ શરદ પવાર પીએમને સમ્માનિત પણ કરશે. ત્યારે તેને લઈને ઈન્ડિયા એલાયન્સના કેટલાક સભ્યોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

Maharashtra : રાજકારણમાં ગરમાવો ! NCP વડા શરદ પવાર આજે PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી કરશે સન્માનિત
Sharad Pawar honor PM Modi with Lokmanya Tilak Award
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 10:00 AM
Share

મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. પરંતુ હવે લોકોની નજર આજે મંગળવારે યોજાનાર કાર્યક્રમ પર રહેશે. જ્યારે પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ત્યારે શરદ પવાર અને અજિત પવાર એક જ મંચ પર હશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ શરદ પવાર હશે, જેઓ પીએમનું સન્માન કરશે. આ દરમિયાન પીએમ મોદી દગડુશેઠ ગણપતિ મંદિરમાં પૂજા અર્ચના કરશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરશે

પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુણે મેટ્રો ફેઝ-1ના બે કોરિડોરના ઉદ્ઘાટનની સાથે, વડા પ્રધાન મોદી મંગળવારે બપોરે 12.45 વાગ્યે મેટ્રો ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે. આ વિભાગો ફુગેવાડી સ્ટેશનથી સિવિલ કોર્ટ સ્ટેશન અને ગરવારે કોલેજ સ્ટેશનથી રૂબી હોલ ક્લિનિક સ્ટેશન સુધી છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ 2016માં કર્યો હતો. કાર્યક્રમમાં પીએમ મોદી અને શરદ પવાર એક જ મંચ પર જોવા મળશે તેમજ શરદ પવાર પીએમને સમ્માનિત પણ કરશે. ત્યારે તેને લઈને ઈન્ડિયા એલાયન્સના કેટલાક સભ્યોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

3,930 લાભાર્થીઓને મકાનો સોંપશે

વડા પ્રધાન મોદી પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) હેઠળ કચરાથી ઊર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે. રૂ. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. જે વાર્ષિક આશરે 2.5 લાખ મેટ્રિક ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરશે. આ ઉપરાંત, પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) દ્વારા બાંધવામાં આવેલા 1,280 થી વધુ ઘરોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવશે.

NCPમાં બળવા પછી આ કાર્યક્રમ મહત્વનો

નોંધપાત્ર વાત એ છે કે, મહારાષ્ટ્રની રાજનીતિમાં તાજા ફેરફારો બાદ તમામની નજર 1 ઓગસ્ટે યોજાનાર આ કાર્યક્રમ પર રહેશે. અજિત NCP સાથે બળવો કરી એનડીએમાં જોડાયા અને રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા પછી, શરદ પવારે પણ પીએમ મોદી પર હુમલો કર્યો. પવારે પીએમ મોદીને NCP નેતાઓના ‘ભ્રષ્ટાચાર’ વિશેના તેમના નિવેદનોની યાદ અપાવીને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

આયોજકોએ એવી પણ માહિતી આપી હતી કે શરદ પવારના ભત્રીજા અજિત પવારને પણ આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમના સિવાય અન્ય આમંત્રિતોમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ થાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">