AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી રૂટ પર જવા રવાના, વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું

આ સિવાય વડાપ્રધાન મોદીએ બે એલિવેટેડ કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યુ. તેમાંથી એક એમટીએનએલ જંક્શનથી બીકેસી અને એલબીએસ માર્ગની સાથે જ કુર્લાથી વકોલા માર્ગમાં મુસાફરી કરનારા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત અપાવશે.

Vande Bharat Express: વંદે ભારત ટ્રેન મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી રૂટ પર જવા રવાના, વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું
PM flags-off Mumbai-Solapur and Mumbai-Sainagar Shirdi Vande Bharat ExpressImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 4:32 PM
Share

આજે (10 ફેબ્રુારી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પ્રવાસ પર છે. આ પ્રવાસમાં વડાપ્રધાન મોદીએ મુંબઈથી સોલાપુર અને મુંબઈથી શિરડી માટે બે વંદે ભારત એક્સપ્રસ ટ્રેનને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કર્યો. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને મહારાષ્ટ્રના તીર્થ સ્થળની મુસાફરી ઝડપી, આરામદાયક અને સુલભ બનાવશે. મહારાષ્ટ્રને મળેલી આ ભેટથી શ્રદ્ધાળુઓ, બિઝનેસમેન અને સામાન્ય મુસાફરોને મુસાફરીમાં એક નવો જ અનુભવ થશે.

આ સિવાય વડાપ્રધાન મોદીએ બે એલિવેટેડ કોરિડોરનું પણ ઉદ્ઘાટન કર્યુ. તેમાંથી એક એમટીએનએલ જંક્શનથી બીકેસી અને એલબીએસ માર્ગની સાથે જ કુર્લાથી વકોલા માર્ગમાં મુસાફરી કરનારા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત અપાવશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી બાદ અમિત શાહ મહારાષ્ટ્ર પ્રવાસે, 3 દિવસ સુધી પેટાચૂંટણીમાં ભાજપની રણનીતિ પર કરશે ચર્ચા

મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી વંદે ભારત ટ્રેનની કરી શરૂઆત

દેશની સૌથી લેટેસ્ટ ટેક્નોલોજીથી બનેલી નવમી અને દસમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની આ ભેટથી એક જ દિવસમાં જઈને પરત આવવાની સુવિધા મળશે. અત્યાર સુધી જેટલી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે, તે રાજ્યથી બીજા રાજ્યો સુધી જાય છે પણ આ બંને વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રના જ બે ભાગને જોડશે. વડાપ્રધાન મોદીએ એક સાથે બે વંદે ભારત ટ્રેનને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 17 અને 18થી ઉદ્ઘાટન કર્યુ.

વડાપ્રધાન મોદીએ આ અવસરે પોતાના ભાષણની શરૂઆત મરાઠીમાં કરી. તેમને કહ્યું કે આ બંને વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રમાં પર્યટન અને વિકાસમાં વધારો કરશે. આ ટ્રેન નાસિકના ત્ર્યંબકેશ્વર, શિરડી, પંઢરપુર, અક્કલકોટ, તુલજાપુર જેવા તીર્થસ્થાનોમાં જવા માટે સુલભ રહેશે. તેમને કહ્યું કે એક સમય હતો કે જ્યારે લોકો કેન્દ્રને ચિઠ્ઠી લખતા હતા કે અમારે ત્યાં ટ્રેનને રોકાવવાની પરવાનગી આપવામાં આવે અને તેમાં ઘણો સમય લાગતો હતો પણ આજે ઝડપથી કામ થાય છે.

દેશના 17 રાજ્ય અને 108 જિલ્લા વંદે ભારતથી જોડાયા

વડાપ્રધાને કહ્યું કે દેશના 17 રાજ્ય અને 108 જિલ્લા વંદે ભારતથી જોડાયેલા છે. આ વખતે બજેટમાં 10 લાખ કરોડ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાખવામાં આવ્યા છે. આ ઐતિહાસિક છે. તેમાં પણ સૌથી વધારે ભાગ રેલવેનો છે. મહારાષ્ટ્રને મુંબઈ રેલ વિકાસ માટે 13,500 કરોડ ફાળવવામાં આવ્યા છે. તેનાથી ગરીબોને રોજગાર મળે છે અને મીડિલ કલાસ લોકોને નવા બિઝનેસના રસ્તા બતાવે છે.

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">